ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગમાં આદિવાસીઓના તેરા તહેવારની ધામધૂમથી ઊજવણી કરી - Dang

ડાંગઃ જિલ્લાના આદિવાસીઓ દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવાતો અખાત્રીનો તહેવાર એટલે આદિવાસીઓ દ્વારા ઉગાડવામાં આવેલું ધાન્ય ધરૂ છે કે પાતળુ તેના પરથી ખેતી માટે તેઓનુ વર્ષ કેવું હશે તેનુ અનુમાન લગાવવામાં આવે છે. આ તહેવાર ખેતી માટે અખાત્રી પણ કહેવાય છે. અખાત્રી એટલે ખેતીની ખાત્રી કરવાનો ઉત્સવ છે. ત્યાર પછી તરત જ 2 મહિના પછી અષાઢ મહિનામાં આવતો આદિવાસીઓનો પ્રિય તહેવાર તેરા છે.

ડાંગમાં આદિવાસીઓના તેરા તહેવારની ઉજવણી કરી

By

Published : Jul 7, 2019, 2:15 PM IST

વરસાદ પડી ગયા પછી જંગલમાં આળુ નામના કંદ (તેરા નામના કંદ)ને લીલા રંગના સુંદર મોટા પાન આવે છે. જે રાન આળુનો એક પ્રકાર છે. ડાંગના દરેક ભાગમાં આ આળુ થાય છે. જેઠ સુદ પૂનમ એટલે વટસાવિત્રી આ પૂનમથી વરસાદ શરૂ થાય છે, એવી સામાન્ય રીતે ગણતરી રહે છે અને ધીરેધીરે વરસાદનું પ્રમાણ વધતુ જાય છે. આળુના કંદને ફણગો થઈ પાન આવતા લગભગ 15-20 દિવસ સહેજ વિતી જાય છે. આમ,તેરા પર્વ અષાઢ માસની અમાસે આવે છે.

ડાંગમાં આદિવાસીઓના તેરા તહેવારની ઉજવણી કરી
તેરાનો દિવસ બધા ગ્રામજનો એકત્ર થઈને નક્કી કરે છે. એમા સામાન્ય રીતે ગામનો પટેલ ગ્રામવાસીઓને જે પ્રમાણે કહે તે પ્રમાણે થાય છે,એ દિવસે આદિવાસીઓ નવા થયેલા આળુના પાંદડા લાવી તે બાફી ( રાંધી ) તેનુ શાક બનાવે છે, તે દિવસે પાંદડાનું મહત્વ ઘણુ જ હોય છે. પ્રથમએ પાંદડા લાવી ઘર પર મુકવામાં આવે છે અને જ્યારે ગાંવદેવી અને ગામની સીમ પર આવેલ વાઘદેવની પૂજા થાય, ત્યાર પછી જ તે પાંદડા પર પાણી છાંટીને ઘરમાં લાવવામાં આવે છે અને શાક કે ભાજી બનાવામાં આવે છે, એ નવુ શાક પ્રથમ કુળદેવી-ગાંવદેવીને નૈવેધ ધરવામાં આવે છે. ત્યારબાદ તેઓ આરોગે છે. રાત્રે નાચવાનો કાર્યક્રમ યોજાય છે તેને ઠાકર્યા નૃત્ય કહેવાય છે. તેરાના દિવસથી ઠાકર્યાનૃત્ય અને પાવરીનૃત્ય ચાલુ થાય છે.તેરાના આ તહેવારનું ખેતીની દ્રષ્ટિએ પણ એક અનોખું મહત્વ છે. જમીનમાં પાણી પચવાથી હવે તે જલધર બની છે. કેટલાક ખેડૂતો તો અડદ વાળ્યા વગર તેરસણનો તહેવાર કરતા નથી. તેમનું એવુ માનવું છે કે, અડદ વાવ્યા જ જો તેરાનો સન પાળવામાં આવે તો અડદમાં રોગ લાગુ પડે અને પાંદડા કોવાઈ જાય છે, અડદ મરી જાય એવી માન્યતા છે. આ તેરાનું શાક આદિવાસી માટે શાકભાજીની ગરજ સારે છે. તેરાના પાંદડામાં કોઈ પણ દાળ નાખી તેઓ ટેસ્ટથી ખાય છે.અખાત્રી ના તહેવાર બાદ આદિવાસીઓ માટે વર્ષનો પહેલો તહેવાર તરીકે તેરા તહેવાર ને માનવામાં આવે છે. ડાંગના આદિવાસી લોકોના તેરા તહેવારની ઉજવણી બાદ જ તેઓ સાગના પાંદડા તોડે શકે છે. આ સાગના પાંદડા ઘરકામમાં ઉપયોગમાં લેવાય છે. વરસાદથી બચવા સાગના પાંદડાઓની બનાવટો બનાવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details