ગુજરાત

gujarat

ETV Bharat / state

નિસર્ગ વાવાઝોડાએ વલસાડના નારગોલવાસીઓને ગત વર્ષના વાવાઝોડાની યાદ તાજી કરાવી

દક્ષિણ ગુજરાત અને દમણ પર તોળાયેલા નિસર્ગ નામના વાવાઝોડાની દહેશત મહદઅંશે ટળી ગઇ હોવાનું અને પાલઘરથી વાવાઝોડું મહારાષ્ટ્ર તરફ ફંટાયું હોવાનું અનુમાન લાગવાઈ રહ્યું છે. ત્યારે, વલસાડ જિલ્લામાં ગત વર્ષે નારગોલ બંદર પર આવેલા માત્ર 7 મિનિટના વાવાઝોડાની યાદ તાજી કરાવી છે.

By

Published : Jun 3, 2020, 5:39 PM IST

Updated : Jun 3, 2020, 6:01 PM IST

નિસર્ગ વાવાઝોડાએ દમણના નારગોલવાસીઓને ગત વર્ષેના વાવાઝોડાની યાદ તાજી કરાવી
નિસર્ગ વાવાઝોડાએ દમણના નારગોલવાસીઓને ગત વર્ષેના વાવાઝોડાની યાદ તાજી કરાવી

નારગોલ (વલસાડ): નિસર્ગ વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના દરિયા કિનારાના ગામોમાં અને દમણમાં ભારે તારાજી સર્જી શકે છે. તેવું અનુમાન હાલ વિસરાઈ રહ્યું છે. કારણ કે 11 વાગ્યા સુધીમાં દમણના તટ વિસ્તારમાં ત્રાટકનાર વાવાઝોડું સાંજના 5 વાગ્યા સુધી કોઈ નુકસાની સર્જી શક્યું નથી. આ વાવાઝોડાને કારણે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પણ ખાનાખરાબી સર્જાય તેવી દહેશતને ધ્યાને રાખીને વહીવટીતંત્રએ સંપૂર્ણ તૈયારી કરીને રાખી છે.

નિસર્ગ વાવાઝોડાએ દમણના નારગોલવાસીઓને ગત વર્ષેના વાવાઝોડાની યાદ તાજી કરાવી

જો કે ઉમરગામ તાલુકાના નારગોલ ગામના લોકો માટે નિસર્ગ નામના આ વાવાઝોડાએ ગત વર્ષની યાદ તાજી કરી છે. આ અંગે નારગોલ ગામના માજી સરપંચ યતીન ભંડારીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે માત્ર સાત મિનિટ માટે આવેલા વાવાઝોડામાં મોટી સંખ્યામાં તારાજી સર્જી હતી. સાત મિનિટમાં કેટલાય વૃક્ષો ધરાશાયી થયા હતા અને કાંઠાળ પટ્ટીના ગામના કાચા મકાનોના પતરા હવામાન ફંગોળાયા હતા. ખેતીવાડીમાં પણ નુકસાન થયું હતું અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા માછીમારોને પણ નુકસાન થયું હતું.

આ વખતે ફરી એ દિવસ જોવો ના પડે તે માટે ગ્રામ પંચાયતે અને વહીવટી તંત્રએ પહેલેથી જ તૈયારીઓ કરીને રાખી છે. નારગોલ ગામના અંદાજીત સાડા ત્રણ હજાર જેટલા લોકોને શેલ્ટર હોમમાં ખસેડાયા છે. એ જ સાથે આસપાસના અન્ય ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ અલગ અલગ શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે. જે લોકો માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. જો કે આ વખતે હાલ હજુ સુધી વાવાઝોડાની એવી કોઇ મોટી દહેશત વર્તાઇ નથી. જે સૌના માટે રાહતના સમાચાર છે.

ઉલ્લેખનીય છે કે, નિસર્ગ વાવાઝોડાના કારણે વહીવટીતંત્રએ સંપૂર્ણ તૈયારીઓ કરી રાખી છે. પરંતુ સાંજના પાંચ વાગ્યા સુધીમાં દરિયાકાંઠાના વિસ્તારમાં કોઈ જ હલચલ જોવા મળી નથી. દરિયો શાંત છે પવનની ગતિ સામાન્ય છે. જે જોતાં કહી શકાય કે કોરોના કહેર વચ્ચે આવેલા નિસર્ગ cyclone નું કહેર હાલ પૂરતું વલસાડ જિલ્લામાંથી અને સંઘપ્રદેશ દમણમાંથી ટળી ગયું છે.

Last Updated : Jun 3, 2020, 6:01 PM IST

ABOUT THE AUTHOR

...view details