ગુજરાત

gujarat

ETV Bharat / state

સરીગામ ગ્રામપંચાયતની સામાન્ય સભામાં વિવિધ મુદ્દે હોબાળો થયો - latest news in valsad

વલસાડ જિલ્લાની સરીગામ ગ્રામપંચાયતમાં શુક્રવારે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15માં નાણાપંચની ગ્રાન્ટનું આયોજન સહિત વિવિધ મુદ્દા પર ચર્ચા વિચારણાઓ થઈ હતી. બાંધકામ પરવાનગી, તલાટી ગેરહાજર જેવા મુદ્દે સભા ગરમાઈ હતી. તો, સભાનું કવરેજ કરવા ગયેલા સ્થાનિક પત્રકારોને ઇન્ચાર્જ સરપંચે બહાર જવાનું કહેતા પત્રકારોમાં નારાજગી વ્યાપી હતી.

સરીગામ ગ્રામપંચાયતની સામાન્ય સભામાં વિવિધ મુદ્દે ગરમાવો
સરીગામ ગ્રામપંચાયતની સામાન્ય સભામાં વિવિધ મુદ્દે ગરમાવો

By

Published : May 23, 2020, 10:22 AM IST

વલસાડઃ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ વસ્તી અને રેવન્યુ ધરાવતી તેમ છતાં હંમેશા વાદ વિવાદના કારણે ચર્ચામાં રહેતી સરીગામ ગ્રામપંચાયતમાં બિલ્ડિંગના બાંધકામ, આકારણી મુદ્દો છેલ્લા કેટલાક સમયથી ગરમાયેલો છે. સરીગામની ગ્રામ સભા હોય કે પછી સામાન્ય સભા હંમેશા ગરમાટો છવાયલો જ રહે છે. શુક્રવારે ઇન્ચાર્જ સરપંચ પંકજ રાયની અધ્યક્ષતામાં પંચાયતના સભ્યો અને તલાટીની ઉપસ્થિતિમાં મળેલી સભામાં પણ બિલ્ડિંગના બાંધકામ અને આકારણીના મુદ્દે તથા તલાટીની ગેરહાજરીના મુદ્દે ગરમાટો છવાયેલો રહ્યો હતો.

સરીગામ ગ્રામપંચાયતની સામાન્ય સભામાં વિવિધ મુદ્દે ગરમાવો
સભામાં તલાટીએ એવો ખુલાસો કર્યો હતો કે, કોઈપણ પ્રકારની બિલ્ડિંગોની બાંધકામની આકારણી મંજૂરી ગત સભામાં થયેલી નથી અને આ મીટીંગમાં પણ આકારણી મંજૂરી આપવામાં આવી નથી. દસ્તાવેજની પૂર્તતા કર્યા બાદ જ આકારણી કરી મંજૂરી આપવામાંં આવશે. તલાટીની ગેરહાજરી બાબતેે પ્રશ્ન ઉપસ્થિત થતા તલાટી વિરલ પટેલે એવો ખુલાસો કર્યો હતો કે, હાલમા કોરોના મહામારી ચાલી રહી હોવાથી જે સરકારી કામગીરીમાં સમયસર હાજરી પંચાયત કચેેેરીએ આપી શક્યા નથી. તેમજ અન્ય 2 ગામ મળી કુલ 3 ગામનો ચાર્જ છે. જેમાં અન્ય ગામમાં મોબાઈલ નેટવર્ક નથી મળતું એટલે લોકોને સમય આપી શકતો નથી.સભા પૂરી થઈ ગયા બાદ ઇન્ચાર્જ સરપંચ પંકજ રાયે પત્રકારોને જાણકારી આપી હતી કે, ખાસ સામાન્ય સભામા 15માં નાણાપંચની ગ્રાન્ટનું આયોજન ચોમાસા પહેલા પ્રિમોન્સૂન કામગીરી કરવા તથા આવેલી અરજીઓના નિકાલ સહિત વિવિધ મુદ્દા પર સભામાં ચર્ચા વિચારણાઓ થઈ છે.સભાનું કવરેજ કરવા ગયેલા સ્થાનિક પત્રકારોને સભામાં એન્ટ્રી ન આપવા બાબતે તેમણે એવું જણાવ્યું હતું કે, ઘણા સભ્યોની ના હતી મીટીંગ પૂરી થયા બાદ જ પત્રકારોને મિટિંગમાં શું ચર્ચા થઇ તેની જાણકારી આપવાનું નક્કી થયુંં હતું. જો કે પત્રકારોએ ઇન્ચાર્જ સરપંચના જણાવ્યા મુજબ પત્રકારોને સભામાં ન આવવા દેવા સંદર્ભે પુષ્ટિ કરતા તમામ સભ્યોએ ઇન્ચાર્જ સરપંચની વાતને નકારી હતી. અને પત્રકારોને સભામાં બેસવા નહિ દેવા અંગેનો નિર્ણય સરપંચનો હોવાનો ખુલાસો કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details