ગુજરાત

gujarat

દમણના કોવિડ વોર્ડમાં મ્યુઝિક થેરાપી દ્વારા કરવામાં આવે છે કોરોનાનો ઈલાજ

By

Published : May 5, 2021, 8:28 AM IST

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના કોવિડ વોર્ડમાં દર્દીઓ કોરોના સામે મક્કમ મન રાખી લડી શકે તે માટે વોર્ડમાં રેડિયો મુકવામાં આવ્યા છે. જેમાં દર્દીઓ જુના નવા ફિલ્મી ગીતો, આસપાસના સમાચારો સાંભળી કોરોનાના ભયમાંથી મુક્ત બની જલ્દી સાજા થઈ રહ્યા છે.

cororna
દમણ કોવિડ હોસ્પિટલમાં મ્યુઝિક થેરાપી દ્વારા કરવામાં આવે છે કોરોના ઈલાજ

  • દમણમાં કોરોના વોર્ડમાં રેડિયો સુવિધા ઉભી કરાઈ
  • દર્દીઓ રેડિયો સાંભળી મનને પ્રફુલ્લિત રાખી રહ્યા છે
  • જુના નવા ફિલ્મી ગીતોનો આનંદ માણે છે

દમણ : કોરોના કાળમાં કોવિડ વોર્ડમાં રહેલા દર્દીઓને મનોરંજન મળી રહે. આસપાસના વિસ્તારની સાચી માહિતી મેળવી શકે. પરીવારથી દૂર કોવિડ વોર્ડમાં મનને પ્રફુલ્લિત રાખી શકે તેવા ઉદ્દેશ્યથી દમણમાં ઉભા કરેલા ટાયર-1 અને ટાયર-2માં દર્દીઓને રેડિયો પર જુના નવા ફિલ્મી ગીતો, સમાચારો સંભળાવવામાં આવી રહ્યા છે.

દમણ કોવિડ હોસ્પિટલમાં મ્યુઝિક થેરાપી દ્વારા કરવામાં આવે છે કોરોના ઈલાજ

સામાજિત સંસ્થાએ ઉભી કરી સેવા

દમણમાં સ્ટેપ અપ ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા દમણના કોવિડ સેન્ટરમાં દર્દીઓ માટે રેડિયો સુવિધા ઉભી કરી છે. દર્દીઓ કોવિડ વોર્ડમાં ચિંતામુક્ત રહે તણાવમુક્ત બને તે માટે આ નવતર પહેલ અમલમાં મૂકી છે. જેને ખુબજ સારી સફળતા મળી છે. રેડિયો પર જુના નવા ફિલ્મી ગીતો, આસપાસના સમાચારોથી દર્દીઓ જલ્દી સાજા થઈ રહ્યા છે.

આ મ્યુઝિક થેરેપીથી દર્દીઓ જલ્દી સાજા થઈ રહ્યા છે: તબીબ

રેડીઓ સુવિધા વાળા કોવિડ સેન્ટર અંગે તબીબોએ જણાવ્યું હતું કે, દમણના ટાયર-1 અને 2 કોવિડ વોર્ડમાં રેડિયો સાંભળતા દર્દીઓના ચહેરાઓ ઉપર મુસ્કાન આવી છે. આકાશવાણી અને વિવિધ ભારતીના ગીતો સાંભળી દર્દીઓ પોતાને નાચવાથી રોકી શકતા નથી.

દમણ કોવિડ હોસ્પિટલમાં મ્યુઝિક થેરાપી દ્વારા કરવામાં આવે છે કોરોના ઈલાજ

આ પણ વાંચો :સુરતમાં વેક્સિન સેન્ટર ખાતે લાફિંગ થેરાપી કાર્યક્રમ યોજાયો


દર્દીઓ સારા સમાચાર સાંભળી શકે છે

દમણમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હોય દમણ પ્રશાસન દ્વારા મ્યુઝિક થેરેપીના ઉદ્દેશ્યથી આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જે કોરોના વોર્ડમાં દાખલ દર્દીઓ માટે એક સારું વાતાવરણ ઉભું કરી રહ્યો છે. કોરોના સામે અનેક ભય ફેલાવતા સમાચારો વચ્ચે આકાશવાણી, દૂરદર્શનના કાર્યકમ અને સમાચારો પર લોકોને ભરોસો છે, દર્દીઓ નવી માહિતી મેળવી રહ્યા છે. મન પર ડરના ભાવને બદલે આનંદના ભાવ ઉત્પન્ન થાય છે. અને જલ્દી સાજા થઈ રહ્યા છે.

દમણ કોવિડ હોસ્પિટલમાં મ્યુઝિક થેરાપી દ્વારા કરવામાં આવે છે કોરોના ઈલાજ

100કિમી વિસ્તારમાં માત્ર એક આકાશવાણી કેન્દ્ર

ઉલ્લેખનીય છે કે, દમણના 100 કિલોમીટર વિસ્તારમાં ફક્ત એક જ આકાશવાણી કેન્દ્ર છે, જેના વિવિધ કાર્યક્રમો સાંભળી કોવિડ વોર્ડમાં રહેલા દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં મ્યુઝિક થેરેપીનો લાભ મેળવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details