- આમ આદમી પાર્ટીએ 26 નવેમ્બરે ઉજવ્યો સ્થાપના દિવસ
- આપ પાર્ટીએ રાજ્યમાં 2 અભિયાનની શરૂઆત કરી
- આપ પાર્ટીએ જનસંપર્ક અને જનમત સરવે અભિયાનનો કર્યો પ્રારંભ
વાપીઃ આમ આદમી પાર્ટીએ (AAP) 26 નવેમ્બરે પોતાની પાર્ટીનો (AAP) 10મો સ્થાપના દિવસ (Founding day of AAP) ઉજવ્યો હતો. તેવામાં આપના નેતા ઈસુદાન ગઢવી (AAP leader Isudan Gadhvi) વાપી નગરપાલિકાની (Vapi municipal election campaign) ચૂંટણીના પ્રચાર માટે પહોંચ્યા હતા. તે દરમિયાન તેમણે આપ (AAP) પાર્ટીએ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે રાજ્યમાં પાર્ટીએ શરૂ કરેલા જનમત સરવે (Referendum survey) અને જનસંપર્ક અભિયાન (public relations campaign) નામના 2 અભિયાનની શરૂઆત કરી છે. આ અંગે આપના નેતા ઈસુદાન ગઢવીએ (AAP leader Isudan Gadhvi) જણાવ્યું હતું કે, લોકોના સહયોગ બાદ આ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. પાર્ટી હંમેશા અન્ય પક્ષો કરતા અલગ મુદ્દા પર વાત કરી શિક્ષણ આરોગ્ય અને બેરોજગારી માટે અવાજ ઉઠાવતી રહી છે.
આ છે અભિયાનના મુદ્દા
હવે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પાર્ટી (AAP) દ્વારા જનમત સરવે (Referendum survey) નામનું અભિયાન (campaign) શરૂ કર્યું છે, જેમાં ખાનગી સ્કૂલ પર લગામ લાગવી જોઈએ?, વીજળીના વધેલા ભાવ ઘટવા જોઈએ?, ખેડૂતોને ખેતપેદાશોના ટેકાના ભાવ મળવા જોઈએ?, શું તમે બેરોજગારીથી પરેશાન છો?, શું સરકારી દવાખાના બનવા જોઈએ? તે પ્રકારના મુદ્દા સાથેના ફોર્મનું આમ આદમી પાર્ટીના (AAP) કાર્યકરો ગામેગામ અને શહેરે શહેરમાં વિતરણ કરશે. તેમાં જનમતનો (Referendum survey) આધાર લઈ જે મુદ્દા પર લોકોનો સૌથી વધુ પ્રતિસાદ મળ્યો હશે. તે મુદ્દા પર લોકોના સમર્થન સાથે આંદોલન (big movement) કરશે. આ માટે પાર્ટીએ એક મહિનાનો સમય લીધો છે.
જનસંપર્ક અભિયાન હેઠળ 50 લાખ લોકોને પાર્ટી સાથે જોડશે
આ જ રીતે આમ આદમી પાર્ટીએ (AAP) બીજુ અભિયાન જનસંપર્ક અભિયાન (public relations campaign) હાથ ધર્યું છે, જેમાં પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો, રાજ્યના અન્ય લોકોને પાર્ટીમાં જોડવાના છે. આ અભિયાન હેઠળ એક કાર્યકર્તા 100 લોકોને જોડશે. આ બંને અભિયાન ઓનલાઈન (Online) અને ઓફલાઈન (Offline) ચલાવવામાં આવશે. આમાં નાગરિકે જરૂરી વિગતો ભરી મોકલવાનું રહેશે. એક વ્યક્તિએ એવા 100 લોકોને જોડવાના રહેશે અને એ રીતે આગામી મહિનામાં 50 લાખથી વધુ કાર્યકરોને જોડવાનું આમ આદમી પાર્ટીનો (AAP) ઉદ્દેશ છે.