- જિલ્લામાં 23 એમ્બ્યુલન્સ, દરરોજ 90 જેટલા કોલ આવે છે
- કોરોના દર્દીઓ માટે 108 જીવનદાતા બની રહી છે
- રોજના 100 કિલોમીટર જેટલું અંતર કાપે છે
દમણઃકોરોના મહામારીના આ યુગમાં 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ ઓક્સિજનના અભાવને લીધે તૂટતા શ્વાસનો પ્રથમ અને સૌથી મોટો આધાર બની ગયો છે. આ દિવસોમાં મોટાભાગના દર્દીઓ કોરોનાથી સંક્રમિત થતા ઓક્સિજનનું સ્તર ઓછું થાય છે. આવી સ્થિતિમાં દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય ત્યાં સુધી 108 એમ્બ્યુલન્સમાં ઓક્સિજન આપવામાં આવે છે. આ કામ ડોકટરોની સલાહ મુજબ કરવામાં આવી રહ્યું છે. એમ્બ્યુલન્સ પાઇલટ અને પેરામેડિકલ સ્ટાફને દર્દીઓને પ્રાથમિક સારવાર આપવા માટે તાલીમ આપવામાં આવે છે.
આ પણ વાંચોઃકોરોના કહેર : એપ્રિલમાં 108 એમ્બ્યુલન્સે 1200 કોરોનાના દર્દીઓને હોસ્પિટલ પહોંચાડ્યા
વલસાડ જિલ્લામાં 108ની 23 એમ્બ્યુલન્સ છે
વલસાડ જિલ્લામાં 108ની 23 એમ્બ્યુલન્સ છે. તેમાંથી 8 જેટલી એમ્બ્યુલન્સ શહેરી વિસ્તારોમાં જ્યારે બાકીની ગ્રામીણ વિસ્તારોમાં દોડી રહી છે. સામાન્ય દિવસોમાં જ્યાં એમ્બ્યુલન્સ દીઠ ત્રણ કોલ આવતા હતા, તેને બદલે હાલના દિવસોમાં ચારથી પાંચ કોલ આવી રહ્યા છે. 108 એમ્બ્યુલન્સના નિયંત્રણ કેન્દ્રમાંથી જણાવાયું હતું કે, દરરોજ લગભગ 90 કોલ આવે છે. કોલ પ્રાપ્ત થયા પછી લગભગ 18થી 20 મિનિટમાં એમ્બ્યુલન્સ સાઇટ પર પહોંચે છે.
દર્દીને તેના ઘરેથી હોસ્પિટલ સુધી પહોંચાડવા 1 એમ્બ્યુલન્સને 30થી 35 કિમીના અંતરની મુસાફરી કરવી પડે છે
શહેરી વિસ્તારમાં દરરોજ કોરોના દર્દીને તેના ઘરેથી હોસ્પિટલ સુધી પહોંચાડવા 1 એમ્બ્યુલન્સને 30થી 35 કિમીના અંતરની મુસાફરી કરવી પડે છે. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં આ અંતર 100 કિલોમીટરની આસપાસ રહે છે. જે જોતા 23 એમ્બ્યુલન્સની કુલ સફર વલસાડથી કચ્છ અને કચ્છથી ફરી વલસાડ સુધીની ગણી શકાય. 108 એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવારના તમામ જરૂરી તબીબી ઉપકરણો છે.
108માં આવતા કોલમાંથી લગભગ 90 ટકા કોરોના દર્દીઓ માટે છે
108માં આવતા કોલમાંથી લગભગ 90 ટકા કોરોના દર્દીઓ માટે છે. 108ના કર્મચારી સ્થળ પર પહોંચે છે અને પહેલા દર્દીની તપાસ કરે છે. આ દિવસોમાં મોટાભાગના દર્દીઓ ઓક્સિજનની અછતથી પીડાય છે. જેને ધ્યાનમાં રાખીને, દર્દીની સ્થિતિ 108ના કર્મચારી દ્વારા કાર્યકારી ચિકિત્સકનો સંપર્ક કરીને કહેવામાં આવે છે. જેની સલાહ મુજબ 108નો સ્ટાફ દર્દીને ઓક્સિજન સહિતની અન્ય સારવાર આપે છે.