ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદમાં વીજળી પડવાથી બે પિતરાઇ ભાઇઓના ઘટના સ્થળે જ નિપજ્યાં મોત

બોટાદ: જિલ્લામાં આવેલા તુરખા ગામમાં શનિવારના રોજ ખેતરમાં કામ કરતા બે પિતરાઈ ભાઈઓ પોતાના ખેતરમાં કામ કરી રહ્યાં તે દરમિયાન વરસાદી વાતાવરણમાં બન્ને ભાઇઓ પર વીજળી પડવાથી મોત ઘટના સ્થલે જ મોત નિપજ્યાં હતા.

By

Published : Jul 21, 2019, 5:35 AM IST

પ્રતિકાત્મક

બોટાદ જિલ્લામાં આવેલા તુરખા ગામે શનિવારના રોજ મહેશભાઇ ગોરાભાઇ અને મહેશભાઇ દિલાભાઇ નામક બે પિતરાઇ ભાઇઓ ખેતરમાં કામ કરતા હતા. તે દરમિયાન વરસાદી વાતાવરણમાં વીજળી પડવાના કારણે બંને પિતરાઈ ભાઈઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જે બાદ બન્ને ભાઇઓના મૃતદેહને બોટાદમાં આવેલી સોનાવાલા હૉસ્પિટલમાં પૉસ્ટમૉર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.

મૃતક

આ બન્ને પિતારાઇ ભાઇઓના એક સાથે મોત મૃત્યું થવાના કારણે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મૃત્યુ પામનારમાં 23 વર્ષિય મહેશભાઇ ગોરાભાઇ તથા મહેશભાઇ દિલાભાઇ નામક ભાઇઓ છે.

મૃતક

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details