દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉપરવાસમાં ખાબકેલા ભારે વરસાદને પગલે રતન મહાલથી પાનમ તરફ જવાના રસ્તા પરના નાળા પર પાણી ફરી વળ્યાં હતા. ભારે વરસાદને પગલે નાળુ ધોવાઈ જતા ભીંડોલ, પાનમ, ભાણપુર, અલીન્દ્રા, ભવેૂરો સહિત 10 જેટલા ગામડાઓનો વાહન વ્યવહાર સદંતર ઠપ્પ થઇ ગયો છે. જેનાથી પ્રવાસન વિભાગને પણ આર્થિક નુકશાન થયુ છે.
દાહોદના ધાનપુર પાસેનું નાળુ તૂટયુઃ વાહનવ્યવહારને અસર
દાહોદઃ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલા પ્રવાસન સ્થળ રતનમહાલ નજીક નળદા કેમ્પ પાસે ઉપરવાસના ભારે વરસાદના કારણે નાળુ તૂટી ગયુ હતું. જેથી આસપાસના 10 જેટલા ગામોનો વાહનવ્યવહાર થંભી ગયો હતો. વરસાદને કારણે વાહન વ્યવહાર રોકાઈ જતા કેટલીક શાળાઓમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ પહોંચી શક્યા નહોતા. આ ઉપરાંત રાહદારીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી.
drain broken in dahod
નાળુ તુટી જવાથી કોઈ દુર્ઘટના ન સર્જાય એ માટે વહીવટીતંત્રના અધિકારીઓ ઘટના સ્થળે જ દોડી આવ્યા હતાં. લીમખેડા પ્રાંત અધિકારી, ધાનપુર મામલતદાર, ધાનપુર તાલુકા વિકાસ અધિકારી અને ગામ પોલીસ મથકના પી.એસ.આઇ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ગામડાઓમાં આવેલી શાળાઓ ના શિક્ષકો પણ સામે કાંઠે જઇ શક્યા ન હોવાથી શાળાઓ પણ બંધ રહી હતી.