દાહોદમાં રાફેલ મુદ્દે ભાજપના ધરણા - BJP slogans on raffle issue
દાહોદ : રાફેલ સોદામાં ભ્રષ્ટાચારના મુદ્દે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગાઈના નેતૃત્વ હેઠળની ત્રણ જજોની બેન્ચે રીવ્યુ પીટીશન રદ કરીને ક્લિનચીટ આપી છે. ત્યારે ભાજપમાં આનંદની લાગણી છવાઈ છે. તેમજ રાફેલ મુદ્દે જનતાને ગેરમાર્ગે દોરવા સંદર્ભે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર વળતો પ્રહાર કરી માફી માંગવાની માંગ સાથે દાહોદ નગરપાલિકા ચોક ઉપર ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
![દાહોદમાં રાફેલ મુદ્દે ભાજપના ધરણા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5088885-thumbnail-3x2-ads.jpg)
etv bharat dahod
દાહોદ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલિકા ચોક પર રાફેલ ઉદ્દેશ મોદી સામે પાયાવિહોણા પ્રચાર કરનાર કોંગ્રેસના નેતા અને પાર્ટીને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની ખંડપીઠે રાફેલ મામલે ક્લીન ચીટ આપી છે. ત્યારે ભાજપે પણ કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ હાય હાયના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
રાફેલ મુદ્દે માફી માંગવા રાહુલ સામે બીજેપીના ધરણા
Last Updated : Nov 17, 2019, 10:22 AM IST