ગુજરાત

gujarat

વિકાસ માટે 'આયોજન કરો, ત્વરિત કામ કરો'ના સૂત્રથી જનસુખાકારીના કામો કરવા આહ્વાન: ધનસુખ ભંડેરી

દાહોદ વડોદરા પ્રાદેશિક નગરપાલિકા નિયામકની કચેરી હેઠળ આવતા મધ્ય ગુજરાતની 24 જેટલી નગરપાલિકામાં ચાલતા વિકાસ કામોની સમીક્ષા બેઠક દાહોદની પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવી હતી. તેમાં ઉપસ્થિત ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીએ 'આયોજન કરો, ત્વરિત કામ કરો'ના સૂત્રથી જનસુખાકારીના કામો કરવા આહ્વાન કર્યું હતું.

By

Published : Sep 25, 2020, 10:51 AM IST

Published : Sep 25, 2020, 10:51 AM IST

dahod
દાહોદ

દાહોદ : મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડનો 4મો સ્થાપના દિન નિમિતે દાહોદ શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં આવેલ પંડિત દિનદયાલ ઓડીટોરીયમ મુકામે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઇ ભંડેરીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકને સંબોધન કરતાં ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું કે, મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ નગરોનો વિકાસ થાય એ માટે જરૂરિયાત મુજબની સંપૂર્ણ ગ્રાંટ આપવામાં આવી છે. આ વર્ષે કોરોના મહામારીનું વર્ષ છે અને એમાં રાજ્ય સરકાર દ્વારા કરકસરના પગલાં લેવાઇ રહ્યા છે. આમ છતાં, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા ફાળવવામાં આવતા નાણાંમાં કોઇ કાપ મુખ્યપ્રધાને મૂક્યો નથી. તેમણે ઉમેર્યું કે, ગુજરાતની કૂલ વસ્તીનો મોટો હિસ્સો નગરો અને શહેરોમાં વસવાટ કરી રહ્યો છે. રાજ્ય સરકારનો વિકાસમંત્ર રહ્યો છે કે, જ્યાં માનવી ત્યાં સુવિધા, તેની આંતરમાળખાકીય વિકાસના કામો કરવામાં નગરપાલિકાની મહત્વની ભૂમિકા રહેલી છે. નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ એક ટીમ બની કામ કરે અને લોકોને ભૌતિક સુવિધા આપવાની અપેક્ષા પૂર્ણ કરે, એવું ભંડેરીએ આહ્વાન કર્યું હતું.

વિકાસ માટે 'આયોજન કરો, ત્વરિત કામ કરો'ના સૂત્રથી જનસુખાકારીના કામો કરવા આહ્વાન

ચેરમેને કહ્યું કે, નગરપાલિકાઓની નિયમોનુસારની સામાન્ય સભાઓ સમયસર અને નિયમિત મળે એ જરૂરી છે. નગરપાલિકાના અધિકારીઓ લોકોની જરૂરિયાત મુજબના કામોનું આયોજન સમયસર કરે, તેની મંજૂરી મળ્યા બાદ કામો નિયત મર્યાદામાં પૂર્ણ થાય એવા ખંતથી કામ કરવા તેમણે શીખ આપી હતી.

વિકાસ માટે 'આયોજન કરો, ત્વરિત કામ કરો'ના સૂત્રથી જનસુખાકારીના કામો કરવા આહ્વાન

પ્રાદેશિક નગરપાલિકા નિયામક હર્ષિત ગોસાવીએ કાર્યક્રમની રૂપરેખા આપ્યા બાદ કહ્યું કે, કોરોનાના કપરાકાળમાં નગરપાલિકાઓ દ્વારા ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવી છે. નગરપાલિકાએ કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે દિવસ કે રાત જોયા વિના યુદ્ધના ધોરણે કામગીરી કરી છે, તે બિરદાવાલાયક છે. મધ્ય ગુજરાતની 24 નગરપાલિકાઓને આંતર માળખાકીય સુવિધા, આગવી ઓળખના કામો, નાણાપંચ અંતર્ગત આપવામાં આવેલી ગ્રાંટની ઘનિષ્ઠ સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ ભંડેરીએ મહત્વપૂર્ણ સુઝાવ પણ આપ્યા હતા.

દાહોદ નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન વિનોદભાઇ રાજગોર દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. આ વેળાએ અધિકારીઓ સર્વ બી. સી. પટણી, વી. એન. શાહ, એન. એચ. દરજી, કે. એચ. કાનાણી, લખનભાઇ રાજગોર સહિત વિવિધ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details