ગુજરાત

gujarat

By

Published : Sep 19, 2020, 7:08 AM IST

ETV Bharat / state

દાહોદ જિલ્લામાં નવા 15 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંક 1000ને પાર

દાહોદઃ જિલ્લામાં શનિવારના રોજ નવા 15 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કોરોનાનો કુલ આંક 1470 ને પાર થયો છે અને 19 લોકો સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. હાલ એક્ટીવ કેસની સંખ્યા 180 છે.

દાહોદ જિલ્લામાં નવા 15 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંક 1000 ને પાર
દાહોદ જિલ્લામાં નવા 15 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંક 1000 ને પાર

દાહોદઃ જિલ્લામાં શનિવારના રોજ વધુ 15 કોરોના પોઝિટિવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 1470 ને પાર થયો છે. વધુ 19 લોકો સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ એક્ટીવ કેસની સંખ્યા 180 છે.

દાહોદ જિલ્લામાં કોરોના મહામારી નિયંત્રણમાં લાવવા માટે આરોગ્ય વિભાગ સતત પ્રયત્નશીલ બની કામગીરી બજાવી રહ્યુ છે. કોરોના મહામારીના સંક્રમણની શંકાએ ભારતીય તંત્ર દ્વારા 1034 રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 5 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે અને RTPCRના 239 પૈકી 10 કેસ, આમ કુલ 15 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાથી પ્રભાવિત થયા છે.

શનિવારના રોજ 15 કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકીના શુભમ મહેશકુમાર ગડારીયા, જાનકીરૂસેન ફિદાહુસેનખુશાલ ગઢવાલા, જીનલબેન રામુભાઈ પ્રજાપતિ, ર્ડા.વિણાબેન રામુભાઈ પ્રજાપતિ, મુકુંદ રામુભાઈ પ્રજાપતિ, કાળીબેન શીવાભાઈ પ્રજાપતિ, શોભનાબેન અશ્વિનકુમાર શાહ, મહેન્દ્રભાઈ કાલુરામ વાળંદ, શાહ અજયભાઈ ગીરધરલાલ , પરમાર જયેશ એન, વણઝારા શંકરભાઈ બીજાભાઈ, રાઠોડ પંકજ પુરષોત્તમ, રાઠોડ લક્ષ્મીકાબેન પંકજભાઈ, કાપડીયા જાેયભાઈ જબીભાઈ, રાવત પંકજ પુંજાભાઈ છે. આમ 15 કેસમાં દાહોદના 9, દેવગઢ બારીઆનો 1, ઝાલોદના 2, ગરબાડાના 2 અને પંચેલાનો 1 આમ પોઝિટિવ કેસમાં કુલ 15 કેસનો સમાવેશ થાય છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 650 લોકોના મૃત્યુ થયા છે.

ABOUT THE AUTHOR

...view details