ગુજરાત

gujarat

ETV Bharat / state

આરોગ્ય ઝુંબેશમાં નાગરિકો સામે ચાલીને આરોગ્ય તપાસણી કરાવે: કલેક્ટર - 33 Dhanvatanri Raths In Dahod

દાહોદ નગરમાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે 33 ધન્વતંરી રથ સાથે 48 મેડિકલ ટીમએ આરોગ્ય તપાસ કામગીરીની શરૂઆત કરી દીધી છે. નગરમાં જયાં પણ કોરોના સંક્રમણના કેસનો વ્યાપ વધુ છે, ત્યાં મેડિકલ ટીમ દ્વારા સ્થળ પર જ હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. આ માટે અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

દાહોદમાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે 33 ધન્વતંરી રથ સાથે 48 મેડિકલ ટીમ કાર્યરત
દાહોદમાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે 33 ધન્વતંરી રથ સાથે 48 મેડિકલ ટીમ કાર્યરત

By

Published : Jul 28, 2020, 4:06 PM IST

દાહોદ: વૈશ્વિક કોરોના મહામારીનેે ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લાના વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર વધુ સતર્ક બન્યા છે. બંને વિભાગોએ સંયુક્તપણે કોરોના મહામારીને અટકાવવા માટે તાત્કાલિક અસરથી ધન્વંતરી રથનું આયોજન કરી કન્ટેનમેન્ટ એરિયામાં ચકાસણી હાથ ધરી છે.

દાહોદમાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે 33 ધન્વતંરી રથ સાથે 48 મેડિકલ ટીમ કાર્યરત

આ બાબતે જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, કોરોના સંક્રમણને રોકવા માટે વધુમાં વધુ વ્યક્તિઓની આરોગ્ય તપાસણી થાય તે જરૂરી છે. કોરોના સંક્રમણના શરૂના જ તબક્કામાં જ જાણ થઇ જાય તો અન્ય વ્યક્તિઓને સંક્રમિત થતા અટકાવી શકાય છે અને જે તે વ્યક્તિના પણ જલ્દી સાજા થવાની શકયતા ખૂબ વધી જાય છે. માટે નાગરિકોને ઘરઆંગણે આરોગ્ય તપાસણીનો લાભ મળી રહ્યો છે. તેનો અવશ્ય લાભ લેવો જોઈએ.

દાહોદમાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે 33 ધન્વતંરી રથ સાથે 48 મેડિકલ ટીમ કાર્યરત

દાહોદ નગરનાં કોરોનાથી સૌથી વધુ સંક્રમિત વિસ્તારો જેવા કે, ગોવિંદનગર, ગોદી રોડ, ગોધરા રોડ, ડબગરવાડ, ઘાંચીવાડ, દેસાઇવાડ સહિતના વિસ્તારોમાં ઘન્વંતરી રથ દ્વારા લોકોની આરોગ્યની તપાસણી કરવામાં આવી રહી છે. સાથે આયુર્વેદ અને હોમિયોપેથીની રોગપ્રતિકારક શક્તિની દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. નાગરિકોને કોરોના સામે શું સાવચેતી રાખવી તેની માહિતી આપવામાં આવી રહી છે.

દાહોદમાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે 33 ધન્વતંરી રથ સાથે 48 મેડિકલ ટીમ કાર્યરત

દાહોદ નગરના 33 ધન્વંતરી રથ સહિત કુલ 55 જેટલા ઘન્વંતરી રથ જિલ્લામાં નાગરિકોની આરોગ્યની સઘન તપાસ, નિદાન અને સારવાર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં ઘન્વંતરી રથ દ્વારા ચલાવવામાં આવેલી ઝુંબેશને ખૂબ જ સફળતા મળી છે અને દેશભરમાં આ મોડલની સફળતા પ્રશંસાપાત્ર બની છે.

ABOUT THE AUTHOR

...view details