ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદ જિલ્લા સેવા સદન મુકામે પ્રવાસન સમિતિની બેઠક યોજઈ - Tourist committee meeting held

દાહોદઃ જિલ્લા સેવા સદન મુકામે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત જનપ્રતિનિધિઓ અને જિલ્લા કલેક્ટર વિજય ખરાડી દ્વારા જિલ્લામાં ચાલુ પ્રવાસન કામો તેમજ દરખાસ્ત કરવામાં આવેલા અને મંજૂર પ્રવાસન કામોની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જિલ્લાના જનપ્રતિનિધિઓ દ્વારા વિવિધ પ્રવાસન સ્થળોને વિકસાવવા માટે વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા. ઉપરાંત જિલ્લાના 9 પ્રવાસન સ્થળોના વિકાસ માટે 1843 લાખ રૂપિયાની દરખાસ્ત પ્રવાસન વિભાગને કરવામાં આવી હતી.

dahod
દાહોદ જિલ્લા સેવા સદન મુકામે પ્રવાસન સમિતિની બેઠક યોજઈ

By

Published : Jan 10, 2020, 11:56 AM IST

દાહોદ જિલ્લા સેવા સદન મુકામે આવેલા કોન્ફરન્સ રૂમમાં જિલ્લા કલેકટર વિજય ખરાડીના અધ્યક્ષતામાં જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં આવેલા વિવિધ ધાર્મિક અને પ્રવાસન સ્થળો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં જિલ્લામાં સીંગવડ ખાતે 10લાખના ખર્ચે ભમરેચી માતાના મંદિરની કામગીરી પૂર્ણ કરવા અંગેની માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત ઝાલોદ ખાતેના ધુધરદેવ મહાદેવ મંદિર, ફતેપુરા ખાતેના કાનગ્રા મહાદેવ મંદિર, દેવગઢ બારીઆ ખાતેના માનસરોવરની કામગીરીથી વિગતો આપવામાં આવી હતી. જિલ્લાના 9 પ્રવાસન સ્થળોના વિકાસ માટે1843 લાખ રૂપિયાની દરખાસ્ત પ્રવાસન વિભાગને કરવામાં આવી છે. જેમાં સાગટાળા ઇકો ટુરીઝમ અને પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર, બાબ ધોડાજદેવ સ્થાન, પાટાડુંગરી, માંડલી ખૂંટા પ્રવાસન ધામ, ઝાલોદ, રામનાથ મહાદેવ મંદિર, ગરબાડા, બાવકા શિવમંદિર, દાહોદ, ભમરેચી માતા મંદિર, રણધીકપુર, દાસા તળાવ ડેવલોપમેન્ટ, દુધિયા તળાવ ડેવલોપમેન્ટ, નળેશ્વર મહાદેવ મંદિર, ધાનપુરનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત અન્ય 13 જેટલા નવીન પ્રવાસન કામોની દરખાસ્ત કરવામાં આવશે. તેમજ મંજૂર થયેલા પ્રવાસન કામો પૈકી ૩ કરોડ રૂપિયા કેદારેશ્વર મહાદેવ મંદિર અને ૩ કરોડ રૂપિયા ગુરૂ ગોવિંદ સમાધિ સ્થળ, કંબોઇધામને ફાળવવામાં આવ્યા છે. આ પ્રવાસનધામોને વિકસાવવા માટે સવિસ્તાર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. સાથે જ કંબોઇધામ અને કેદારેશ્વર મહાદેવ મંદિરના ઉપસ્થિત પ્રતિનિધિઓના પણ સૂચનો ધ્યાને લેવામાં આવ્યા હતા.

આ બેઠકમાં ધારાસભ્ય સર્વે રમેશભાઇ કટારા, વજેસિંહ પણદા, ચંદ્વિકાબેન બારીઆ, નિવાસી અધિક કલેક્ટર એમ.જે.દવે સહિત પ્રવાસન સમિતિના સભ્યો અને પ્રવાસનધામોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે પ્રવાસન કામગીરીને લઈને મહત્વની રજૂઆતો કરી હતી.

ABOUT THE AUTHOR

...view details