- દાહોદમાં મુખ્યપ્રધાન અને રાજ્યપાલની ઉપસ્થિતીમાં ધ્વજવંદન
- માત્ર આમંત્રણ પત્રિકા ધરાવતા લોકોને જ પ્રવેશ અપાયો
- કલર કોડ મુજબ પ્રવેશ અપાયો અને વાહનો પાર્ક કરાયા
દાહોદ :રાજ્યકક્ષાનાં 72મા પ્રજાસત્તાક દિનની ઉજવણી દાહોદના નવજીવન આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. કોરોના વાઇરસ અંગે સરકાર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા પ્રમાણે માત્ર આમંત્રિતોની ઉપસ્થિતિમાં જ આ ઉજવણી કરવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.