ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદના ખાતર ડેપો પરથી રાસાયણિક ખાતરનું વિતરણ શરૂ કરાયું - gujarat

દાહોદ: રાજ્ય સહિત દાહોદ જિલ્લામાં આવેલા GNFC ડેપો પર 50 kg કરતા ઓછું ખાતર ભરેલી થેલીઓ મળી આવતા સરકારે વેચાણ તાત્કાલિક અસરથી બંધ કર્યુ હતું. ત્યારબાદ પાકની પૂર્તિ ખાતર આપવા ખેડૂતોને ખાતરનો જથ્થો નહીં મળતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો હતો. મંગળવારના રોજ જિલ્લાના ખાતર ડેપો પરથી ખાતરનું વિતરણ શરૂ થતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વીડિયો

By

Published : May 15, 2019, 1:46 AM IST

ગુજરાત રાજ્ય નર્મદા ફર્ટીલાઇઝર કંપની દ્વારા વેચાણ કરવામાં આવતા ખાતરની 50 કિલોની થેલીઓમાં ૨૦૦ થી ૫૦૦ ગ્રામ જેટલો ખાતરનો જથ્થો ઓછો મળી આવતા વિપક્ષ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા તેમજ રાજ્યભરના GNFC ખાતર ડેપો પર કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી.

દાહોદના ખાતર ડેપો પરથી રાસાયણિક ખાતરનું વિતરણ શરૂ કરાયું

તો બીજી બાજુ ખેડૂતોમાં પણ છેતરપિંડી થતી હોવાના કારણે વ્યાપક રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેથી સરકારે તાત્કાલિક અસરથી રાજ્યભરના ખાતર ડેપો પર તાત્કાલિક અસરથી ખાતરનું વેચાણ રોકી દેવામાં આવ્યો હતો. જેના કારણે ઉનાળુ ખેતી કરી રહેલા ખેડૂતોને રાસાયણિક ખાતરનો જથ્થો નહીં મળતા પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ હતી. જેથી ખેડૂતોમાં રાજ્ય સરકાર સામે અગ્નિ સમાન રોષ ભભૂક્યો હતો. દાહોદ ખાતર ડેપો મુકામે તંત્ર દ્વારા ખાતરની થેલીઓનો વજન કરી ઘટ્ટ ખાતર બીજી થેલીમાંથી આપીને વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details