દાહોદ: જિલ્લાના ગરબાડા તાલુકાના આમલી ગામના રહેવાસી અને હાલમાં વડોદરા મુકામે ટ્રાફિક પીએસઆઇ તરીકે ફરજ બજાવતા ઉમેશ નલવાયાને પંથકની પરિણીત મહિલા સાથે વર્ષ 2016માં પ્રેમસંબંધ બંધાયો હતો.
આ પરણિત મહિલાને પીએસઆઇ ઉમેશ દ્વારા ફોસલાવીને પરિણીત મહિલા અને તેના પતિ સાથે ઝઘડો તકરાર કરાવીને છૂટાછેડા લેવડાવ્યા હતાં, ત્યારબાદ બીજી પત્ની તરીકે રાખવા માટે ત્રણ અજાણ્યા વ્યક્તિઓની મદદ લઇ દાહોદથી બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને ગાંધીનગર લઈ ગયો હતો. જ્યાં તેણીને બળજબરીપૂર્વક પોતાની સાથે રાખી આસારવા ખાતે લગ્ન નોંધણી કરાવી હતી, ત્યારબાદ આ યુવતી પરત પોતાના ઘરે આવી હતી.