- દાહોદ જિલ્લાના 19,500 આદિવાસી ખેડૂતોને 6.82 કરોડના ખાતર-બિયારણની સહાય કરવામાં આવી
- 2017થી આ યોજના અંતર્ગત દાહોદ જિલ્લાના 97 હજારથી પણ વધારે ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવ્યો
- સરકાર દ્વારા આવા જ શુભાશય સાથે કૃષિ વૈવિધ્યકરણ યોજના અમલમાં મૂકવામાં આવી
- દરેક ખેડૂતને 45 કિલો યુરિયા, 50 કિલો એનપીકે, 50 કિલો એમોનિયા સલ્ફેટ, 88 કિલો મકાઇનું હાઇબ્રીડ બિયારણ આપવામાં આવ્યુ
દાહોદઃ ખેડૂતોને ઉત્તમ બિયારણ, સારૂ ખાતર અને સાથે જરૂરી તાલીમ પણ મળે તો મબલખ ઉત્પાદન મેળવે છે અને તેની આર્થિક ઉન્નતિના દ્વાર ખૂલે છે. સરકાર દ્વારા આવા જ શુભાશય સાથે કૃષિ વૈવિધ્યકરણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિવાસી ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત દાહોદ જિલ્લાના અનેક ખેડૂતોના સમૃદ્ધિના દ્વાર ખૂલ્યા હોવાના કારણે વર્ષ 2020-21 માં દાહોદ જિલ્લાના 19, 500 આદિવાસી ખેડૂતોને 6.82 કરોડના ખાતર, બિયારણની સહાય કરવામાં આવી છે. જેમાં દરેક ખેડૂતને 45 કિલો યુરિયા, 50 કિલો એનપીકે, 50 કિલો એમોનિયા સલ્ફેટ, 88 કિલો મકાઇનું હાઇબ્રીડ બિયારણ આપવામાં આવે છે. આ કીટ દરેક લાભાર્થી ખેડૂત દીઠ રૂપિયા 3598ની કિંમતની થાય છે. આ માટે ખેડૂતોને રૂપિયા 500નો ફાળો આપવાનો રહે છે.