ગુજરાત

gujarat

ETV Bharat / state

અહીં વિજળી પડતા બકરા ચરાવતી મહિલાનું નીપજ્યું મોત

દાહોદઃ જિલ્લામાં આવેલા દેવગઢ બારીયા તાલુકા પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વાવાઝોડું ફૂંકાયું હતું. જેમાં પવન ફૂંકાવાની સાથે ઝાપટીયા ગામમાં અવકાશી વીજળી વૃક્ષ પર ત્રાટકી હતી.

By

Published : Jul 20, 2019, 10:17 PM IST

દાહોદના ઝાપટીયા ગામમાં અવકાશી વીજળી પડતા મહિલાનું મોત

આ સાથે જ આ વીજળી બકરા ચરાવી રહેલી મહિલા પર પડી હતી. જેને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઝાપટીયા ગામમાં મહિલાનું મૃત્યુ થતા શોકનો માહોલ સર્જાયો છે.

દાહોદમાં છેલ્લાં પખવાડિયાથી વરસાદે હાથતાળી દેતા ધરતીપુત્રો વાવેતર નિષ્ફળ જવાની ભીતિ સાથે ચિંતામગ્ન બન્યા છે. દિન-પ્રતિદિન વધી રહેલા ઉકળાટ વચ્ચે ખેડૂતો વરસાદ આવવાની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે દેવગઢ બારીયાના ઝાપટીયા ગામમાં પવન ફૂંકાયો હતો. આ સમય દરમિયાન બકરાં સહિત પશુધન લઈને ખેતરમાં ચરાવવા ગયેલી મણીબેન નામની મહિલા બાવળના વૃક્ષ પાસે ઊભી હતી. ત્યારે એકાએક અવકાશી વીજળી મહિલા પર ત્રાટકી હતી.

દાહોદના ઝાપટીયા ગામમાં અવકાશી વીજળી પડતા મહિલાનું મોત

મહિલા પર અવકાશી વીજળી પડવાના કારણે તેમજ તેની ઉર્જા સહન નહીં થવાના કારણે તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ બાબતની જાણ ગામમાં પ્રસરી જતા ગામમાં શોકનો માહોલ સર્જાયો છે. તેમજ ગ્રામજનો દ્વારા વહીવટીતંત્રને આ બનાવની જાણ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details