ગુજરાત

gujarat

ETV Bharat / state

દાદરા નગર હવેલીની મજુરી કરતી મહિલાઓ શીખી રહી છે અક્ષરજ્ઞાન - દાદરા નગર હવેલીની મજુરી કરતી મહિલાઓ

દાદરા નગર હવેલી: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી બાહુલ આદિવાસી મુલક ગણાય છે. અહીંની મોટાભાગની વસ્તી નિરક્ષર છે, અને મજૂરીકામ કરી પોતાનાં પરિવારનું ભરણપોષણ કરે છે. આ મહિલાઓ-પુરુષોને અક્ષજ્ઞાન મળે તે માટે સેલવાસની APJ અબ્દુલ કલામ કોલેજના પ્રોફેસરો, વિદ્યાર્થીઓ અને ભારત સ્કાઉટ ગાઈડના સભ્યોએ સાક્ષરતા અભિયાન હાથ ધર્યું છે. જેઓ ગલોન્ડા ગામમાં 20 જેટલી મહિલાઓને સાક્ષરતાના પાઠ શીખવાડી અભણનું મેણું ભાંગી રહ્યા છે.

દાદરા નગર હવેલી

By

Published : Nov 13, 2019, 2:13 PM IST

બાહુલી આદિવાસી મુલક ગણાતા દાદરા નગર હવેલીમાં 65 ટકા જેટલી વસ્તી આદિવાસીઓની છે. અગાઉના સમયમાં યોગ્ય શિક્ષણની વ્યવસ્થાના અભાવે, ઘરથી શાળાનું અંતર દૂર હોવાને કારણે કેટલાય પરિવારોના મોભીઓ શાળાએ જઇ શક્યા નહોતા. આવા માતા-પિતા આજકાલ અભણ તરીકેનું મેણું ભાંગી રહ્યાં છે. બાળવયે શિક્ષણથી વંચિત રહી જનાર આવી મહિલાઓને સેલવાસની APJ અબ્દુલ કલામ કોલેજ અને ભારત સ્કાઉટ ગાઈડન વિદ્યાર્થીઓ અક્ષરજ્ઞાન આપી રહ્યા છે.

દાદરા નગર હવેલીની મજુરી કરતી મહિલાઓ શીખી રહી છે અક્ષરજ્ઞાન
આ અંગે APJ અબ્દુલ કલામ કોલેજના લાયબ્રેરીયન પવન અગ્રવાલે જણાવ્યું હતું કે, સરકારી કોલેજના વિદ્યાર્થીઓ અને ભારત સ્કાઉટ ગાઈડ દ્વારા દાદરા નગર હવેલીમાં બેટી બચાવો બેટી પઢાવો, સ્વચ્છતા અભિયાન સહિતના સમાજ ઉપયોગી કાર્યક્રમ દરમ્યાન ધ્યાનમાં આવ્યું કે, અહીંની મોટાભાગની વસ્તી નિરક્ષર છે. એટલે તેમણે સાક્ષર કરવા અમે આ પહેલ કરી છે. જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. ગલોન્ડા ગામે રોજ કામધંધેથી પરત આવતી 20 જેટલી મહિલાઓ અહીં લખતા વાંચતા શીખવા આવે છે. જેમને અમે તેમનું નામ લખતા અને વાંચતા કર્યા છે.ગલોન્ડા ગામની હાઈસ્કૂલમાં દિવસ આખો મજૂરી કરી અક્ષરજ્ઞાન લેવા આવનાર મહિલાઓએ પણ તેમના કરચલીવાળા ચહેરા પર સ્મિત ફરકાવતા જણાવ્યું હતુ કે, વાંચતા લખતા શીખીને ખૂબ જ આનંદ થાય છે. ઘરનું કામ કરી વાંચતા લખતા શીખવા આવીએ છીએ. ઘરે જઈને છોકરાઓ પાસે પણ શીખીએ છીએ. પહેલા અમે ગ્રામ પંચાયતના કામકાજમાં કે, અન્ય સ્થળે અંગુઠો લગાવતા હતા. હવે સહી કરીએ છીએ. આ કોલેજના વિદ્યાર્થીઓએ અમને ખુબ જ સારી રીતે લખતા વાંચતા શીખવાડી દીધું છે. જેની ખુશી છે.ઉલ્લેખનીય છે કે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં હાલ શિક્ષણનું સ્તર ઘણું સુધર્યું છે. સરકાર દ્વારા દરેક ગામમાં શાળા બનાવી છે. સૌ ભણે સૌ આગળ વધેના અભિયાન હેઠળ આજના બાળકોને સારું શિક્ષણ અપાઈ રહ્યું છે. પરંતુ તેમની સાથે જે લોકો પરિવારની પળોજણમાં શિક્ષણથી વંચિત રહ્યાં છે. તેવા માતા-પિતાને માટે પણ ખાસ પ્રૌઢ શિક્ષણ વર્ગો શરૂ કરી આદિવાસીઓ પર લાગેલું અભણનું મેણું ભાંગી શાક્ષરતાના પાઠ શીખવાડવાનો પ્રયાસ કરે તે પણ જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details