- છોટા ઉદેપુરમાં પાવીજેતપુરના રાયપુર વિસ્તારમાં ખનન અટકાવવા ગ્રામજનોની માગ
- રાયપુરમાં લીઝ ધારક ગેરકાયદેસર ખનન કરી પથ્થર લઈ જતા હોવાના ગ્રામજનોનો આક્ષેપ
- લીઝ ધારક મનફાવે ત્યારે બ્લાસ્ટિંગ કરતો હોવાથી અમે ખેતરમાં જતા ડરીએ છીએઃ ગ્રામજનો
છોટા ઉદેપુરઃ જિલ્લાનો મોટા ભાગનો વિસ્તાર કુદરતી જંગલો તો ડુંગરોની હારમાળામાં ઘેરાયેલો છે. આવા વિસ્તારોમાં લોકો પણ આ કુદરતી અને આહ્લાદક કુદરતી સૌંદર્યને નીહાળવા આવતા હોય છે, પરંતુ કુદરતના અખૂટ ખજાના પર હવે ખાણ માફિયાઓની નજર પડી છે. રાયપુર ગામ નજીક ચિત્તા ડુંગરી આવેલી છે. આ ચિત્તા ડુંગરી પર આદિવાસી સંસ્કૃતિના અવશેષો આવેલા છે. આમ, છતાં વર્ષ 2008માં આ ડુંગરીને ખાણ ખનીજ વિભાગે 128 સરવે નબર પૈકીના ચાર હેક્ટર વિસ્તારને 20 વર્ષ માટે ગ્રેનાઈટનો પથ્થર કાઢવા માટે પરવાનગી આપી દીધી હતી. હવે અહીં લીઝ ધારકો ડુંગરીમાં બ્લાસ્ટ કરીને પથ્થરો કાઢી લઈ જવાનું કામ ચાલી રહ્યા છે.
ખાણ ખનીજ વિભાગ આંખ આડા કાન કરે છેઃ ગ્રામજનો
ચિત્તા ડુંગરીની બિલકુલ બાજુમાં 2 હજારની વસતી ધરાવતું ગામ રાયપુર આવેલું છે. અહી વસતા આદિવાસી લોકોના આસ્થા સમાન આ ડુંગરી છે. તેની ઉપર આવેલા વર્ષો જૂના મંદિર પર જઈ તેઓ પૂજા કરતાં હોય છે. આદિવાસી લોકોના વર્ષો પહેલાના ચિત્રો અને લિપિઓ પણ આવેલી છે. અહીંના ડુંગરોને બચવા જોઈએ તેવું ગ્રામજનો તેમજ કેટલાક એનજીઓનું પણ કહેવું છે. આ વિસ્તારને ઈકો સેન્સિટિવ ઝોન તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ ખાણ ખનીજ વિભાગને કેમ જાણકારી નથી? તેઓ પણ સવાલ કરી રહ્યા છે.
લીઝ ધારક ગમે ત્યારે બ્લાસ્ટ કરે છે, આનાથી અમને નુકસાન થશે તો જવાબદાર કોણ?: ગ્રામજનો