ગુજરાત

gujarat

ETV Bharat / state

છોટાઉદેપુરમાં માઇનોર કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોએ સ્વખર્ચે પાઇપલાઇન નાખી

બોડેલી તાલુકાના ભોજપુર, ગોવિંદપુરા પાસે વર્ષો પહેલા નર્મદા નિગમ દ્વારા ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે માઇનોર કેનલો બનાવવમાં આવી હતી, પરંતુ આ કેનાલમાં ગાબડા તેમજ તિરાડો પડતા ખેડૂતોએ વારંવાર તંત્રમાં રજૂઆત કરી તેમ છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા ખેડૂતોએ જાત મહેનત કરી સ્વખર્ચે પાઇપલાઇન બનાવી પોતાના ખેતરો સુધી પાણી પહોંચાડ્યું હતું.

By

Published : Dec 30, 2020, 12:24 PM IST

Etv Bharat, Gujarati News, Chhoteudepur News
છોટાઉદેપુરમાં માઇનોર કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોએ સ્વખર્ચે પાઇપલાઇન નાખી

  • લાકડાનો બ્રિજ બનાવી પાઇપ લાઈન કરતા સૂકી ભટ કેનાલમાં પાણી આવ્યું
  • તંત્રએ ધ્યાન ન આપતા ખેડૂતો આત્મનિર્ભર બની પાણી પોતાના ખેતર સુધી પહોંચાડ્યું
  • ખેડૂતો આત્મનિર્ભર બની પોતાનો પાક બચાવ્યો

છોટાઉદેપુરઃ બોડેલી તાલુકાના ભોજપુર, ગોવિંદપુરા પાસે વર્ષો પહેલા નર્મદા નિગમ દ્વારા ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે માઇનોર કેનલો બનાવવમાં આવી હતી, પરંતુ આ કેનાલમાં ગાબડા તેમજ તિરાડો પડતા ખેડૂતોએ વારંવાર તંત્રમાં રજૂઆત કરી તેમ છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા ખેડૂતોએ જાત મહેનત કરી સ્વખર્ચે વેડફાઈ જતું પાણી બે કૂવા વચ્ચેથી પાઇપલાઈન પસાર કરી સામે કિનારે આવેલા ખેતરોનો પાક બચાવ્યો છે.

છોટાઉદેપુરમાં માઇનોર કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોએ સ્વખર્ચે પાઇપલાઇન નાખી

બોડેલી તાલુકાના ભોજપુર, ગોવિંદપુરા સહિત આસપાસના વિસ્તારોમાં નર્મદા નિગમ દ્રારા વર્ષો પહેલા માઇનોર કેનલો બનાવી ખેડૂતના ખેતર સુધી સિંચાઇનું પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ નર્મદા નિગમના અધિકારી દ્વારા માઇનોર કેનલોમાં પડેલા ભંગણોની મરામત ન કરતા હવે ખેડૂતના ખેતર સુધી પાણી ન પહોંચતા ખેતરોમાં વહી જતું હતું. જેથી ખેડૂતોને સિંચાઇનો લાભ મળતો ન હતો. માલ સુકાતા આખા વર્ષ દરમિયાન જે નુકસાની વેઠી તે ફરીથી વેઠવાનો વારો આવશે તે બાબતની ખેડૂતોને ચિંતા હતી. તંત્ર દ્રારા પાણી તો છોડવામાં આવી રહ્યું છે પણ એ જ પાણી ખેતરોમાં વહી જતું હતું. વર્ષો જૂની કેનલોમાં ઠેર-ઠેર ગાબડાં પડી તિરાડો પડી ગઈ હતી. જેની તંત્રમાં વારંવાર રજૂઆતો કરી છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નહીં.

લાકડાનો બ્રિજ બનાવી પાઇપ લાઈન પસાર કરી ખેડૂતોએ પાક સુધી પાણી પહોંચાડ્યું

તંત્ર દ્રારા કેનાલમાં પાણી તો છોડવામાં આવી રહ્યું છે પણ એ જ પાણી ખેતરોમાં વહી જતું હોવાથી પાણી પોતાના ખેતર સુધી કેમ આવે તે માટે આસપાસના ખેડૂતોએ ભેગા મળી આ સમસ્યાનું નિવારણ લાવવાનું નક્કી કર્યું હતું. જે બાદ સ્વભંડોળ ભેગું કરી સાફસફાઇ અને મરામત કરવાનું નક્કી થતાં ખેડૂતો કામે લાગી ગયા અને પોતાનો પાક સુકાઈ જાય તે પહેલા જ નર્મદા નિગમની માઇનોર કેનાલમાં પડેલા ભંગાણની મરામત કરી તો કેટલાક યુવકોએ કેનાલના કૂવા વચ્ચે લાકડાનો બ્રિજ બનાવી હતી. તેના ઉપરથી પાઇપ લાઇન પસાર કરી સામે કિનારે આવેલા પોતાના ખેતરોના પાકને જીવનદાન આપી ખેડૂતોએ પાક બચાવી લીધો હતો.

ખેડૂત આત્મનિર્ભર બની સુકાતો પાક બચાવ્યો

જે સુખી ભટ્ટ જોવા મળતી કેનલોમાં પાણી આવી જતાં ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચી જતા જે સુકાઈ રહેલ ખેડૂતનો ઊભો મોલ બચી ગયો અને પાણી આવતા જે બંજર થયેલા ખેતરોમાં ખેડૂતો હવે વાવણી કરવા લાગ્યા છે. નર્મદા નિગમના અધિકારીઓનો સહારો ન લેતા ખેડૂતો આત્મનિર્ભર બની લીલાછમ લહેરાઈ રહેલા ખેતરોને જોઈ હરખાઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details