છોટાઉદેપુરમાં 15મી ઓગસ્ટની રાજ્ય કક્ષાની ઉજવણી અંગે કલેક્ટરે યોજી પ્રેસ કોન્ફરન્સ - કલેક્ટર
છોટાઉદેપુર: શહેર ખાતે રાજ્ય કક્ષાની 15મી ઓગષ્ટની ઉજવણી થનાર હોવાથી ગુરૂવારે કલેક્ટર સુજલ માયાત્રાએ પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અંગેની વિગતવાર માહિતી આપી હતી. જેમાં તારીખ 07 ઑગસ્ટથી વિવિધ કાર્યક્રમો અને લોકાર્પણ કરવામાં આવશે.
![છોટાઉદેપુરમાં 15મી ઓગસ્ટની રાજ્ય કક્ષાની ઉજવણી અંગે કલેક્ટરે યોજી પ્રેસ કોન્ફરન્સ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4073928-thumbnail-3x2-chhotaudepur.jpg)
collector sujal mayatra
શહેરમાં 7 ઓગસ્ટથી વિવિધ કાર્યક્રમો અને લોકાર્પણો હાથ ધરાશે. જેમાં 15મી ઑગસ્ટના રોજ 31731.50 લાખના કામોનું લોકાર્પણ કરવામાં આવશે. મુખ્યપ્રધાન તારીખ 14 ઑગસ્ટના રોજ બપોરના 2 કલાકે મહિલા સંમેલન ડોંબોસકો, 4 કલાકે એટહોમ કાર્યક્રમ ગુરુકૃપા સોસાયટી ખાતે, સાંસ્કૃતિક કાર્યક્રમ સાંજના 6.55 કલાકે એસ.એન.કોલેજ ગ્રાઉન્ડ ખાતે તેમજ તારીખ 15 ઑગસ્ટ ધ્વજ વંદન કાર્યક્રમ સવારે 9 કલાકે પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખૂટલીયા ખાતે કરશે.
છોટાઉદેપુરમાં 15મી ઓગસ્ટની રાજ્ય કક્ષાની ઉજવણી અંગે કલેક્ટરે યોજી પ્રેસ કોન્ફરન્સ,ETV BHARAT