7મી ફેબ્રુઆરીએ રાઠવા સમાજે આપ્યું જિલ્લા બંધનું એલાન - ETV Bharat Gujarat
રાઠવા સમુદાયની આદિવાસી ઓળખ સામે ઊભા થયેલ પ્રશ્નોની બાબતે 7મી ફેબ્રુઆરીએ સમસ્ત આદિવાસી રાઠવા સમાજે છોટા ઉદેપુર જિલ્લા બંધનું એલાન આપ્યું છે.
![7મી ફેબ્રુઆરીએ રાઠવા સમાજે આપ્યું જિલ્લા બંધનું એલાન છોટાઉદેપુર જિલ્લા બંધનું એલાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5977252-thumbnail-3x2-jillabandh-gj10005.jpg)
છોટાઉદેપુર : જિલ્લામાં વસતાં આદિવાસી રાઠવા સમુદાયની ઓળખ સામે ઊભા કરવામાં આવેલ પ્રશ્નોના કાયમી નિકાલ તથા લોકરક્ષક ભરતીમાં રાઠવા સમાજના ઉમેદવારોને ઉચ્ચ મેરીટ હોવા છતા પસંદગીમાંથી ખોટી રીતે બહાર રાખવામાં આવેલ છે. તેના ન્યાય માટે ગાંધીચીધ્યા માર્ગે લડત લડવા 7મીએ સમસ્ત આદિવાસી રાઠવા સમાજ છોટાઉદેપુર જિલ્લા તરફથી બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં આવતા તમામ તાલુકા શહેરો છોટાઉદેપુર,કવાંટ,પાવીજેતપુર,બીડેલી,સંખેડા નસવાડી,બંધ રાખવા રાજકીયપક્ષો,વેપારી સંગઠનો,ખેડૂત સંગઠનો સામાજિક સંગઠનો,વિદ્યાર્થી સંગઠનો,મહિલા સંગઠનોને બંધ પાળીને સહકાર માટે અપીલ કરવામાં આવી છે.