ગુજરાત

gujarat

છોટાઉદેપુરમાં તમામ આદિવાસી નેતાઓની યોજાઈ મીટીંગ

By

Published : Oct 8, 2019, 6:18 PM IST

છોટાઉદેપુરઃ હાલમાં તમામ રાઠવા કોળી સમાજને આદિવાસી તરીકેના દાખલા તેમજ નોકરી આપવા બાબતે હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ થઇ છે. તેના અનુસંધાને રાઠવા સમાજના કોંગ્રેસ તેમજ ભાજપના આગેવાનો એક મંચ પર ભેગા થયા હતા.

fgdf

છોટાઉદેપુર ખાતે નારાયણ ઇંગ્લીશ મીડિયમ સ્કુલમાં જિલ્લાના આદિવાસી નેતાઓની એક બેઠક યોજાઇ હતી. જેમાં વર્તમાન સાંસદો, ધારાસભ્યો તેમજ સરકારી કર્મચારીઓ સહિત આદિવાસી આગેવાનો એકત્રિત થયા હતા. છોટાઉદેપુર જિલ્લામાં વસતા રાઠવા કોળીને આદિવાસી તરીકે જે દાખલા આપ્યા છે, તેની સામે હાઇકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. હવે તેની સામે આગામી દિવસોમાં લડવા રણનીતિની ચર્ચા કરવામાં આવી હતી. હાઇકોર્ટમાં થયેલી પીઆઈએલમાં જણાવ્યું છે કે, 1976માં રાષ્ટ્રપતિ દ્વારા જે આદિવાસીઓની યાદી જાહેર કરી તેમાં રાઠવા કોળી નથી. તો કેવી રીતે તેઓને આદિવાસીમાં ગણાય. તેમ જણાવતાં તમામ રાઠવા કોળી સમાજમાં રોસ ફેલાયો છે. તેને લીધે તમામ આદિવાસી નેતાઓ એક મંચ પર આવી ગયા છે અને પોતાના સમાજ માટે લડી લેવાનો નિર્ધાર કર્યો છે.

છોટાઉદેપુર નારાયણ સ્કૂલમાં તમામ આદિવાસી નેતાઓની રાઠવા કોળીના મુદ્દે મીટીંગ યોજાઈ

આ મીટિંગમાં તમામ નેતાઓએ સમાજને જાગૃત કરી સહકાર આપવાની અપીલ કરી હતી અને એકતા રાખવા જણાવ્યું હતું. તેમજ તમામ પ્રકારની સમિતિ બનાવી હતી.આ મીટિંગમાં સાંસદ ગીતાબેન રાઠવા, નારાયણભાઈ રાઠવા, જાસુભાઈ રાઠવા, સુખરામ ભાઈ રાઠવા તેમજ અનેક નેતાઓ હાજર રહ્યા હતા. તેમજ PILની તારીખના એક દિવસ પહેલા તેમજ તે દિવસે છોટાઉદેપુર જિલ્લો બંધ રાખવાનું નક્કી કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details