ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોડાઉનના રીટાયાર્ડ મેનેજર સામે 91 લાખના ઉચાપતની ફરિયાદ - go down

છોટાઉદેપુર: નસવાડી તાલુકા સરકારી અનાજના ગોડાઉનનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ગોડાઉનના રીટાયાર્ડ મેનેજર સામે 91 લાખના ઉચાપતની ફરિયાદ નોંધાઇ છે. આ ગોડાઉન માંથી 42 રેશનીગ સંચાલકો, 246 મધ્યાન ભોજન કેન્દ્રો, 224 આંગણવાડી કેન્દ્રો પર અનાજને પહોંચાડવામાં આવતો હતો. હાલ આ સ્ટોક ઘટી ગયો છે, જેને લઇને પોલીસે ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ગોડાઉનના રીટાયાર્ડ મેનેજર સામે 91લાખના ઉચાપતની ફરિયાદ નોંધાઇ

By

Published : Jul 13, 2019, 2:17 PM IST

છોટાઉદેપુર અનાજના ગોડાઉનનું કૌભાંડ સામે આવ્યું હતું. આ ગોડાઉનનું સંચાલન કનુભાઈ વસાવા કરી રહ્યા હતાં. કનુભાઈ વસાવા તારીખ 30 જૂનના રોજ રિટાયર્ડ થતા જગદીશ શેઠને ગોડાઉન મેનેજર તરીકે નિમણૂંક કરવામાં આવી હતીં. 1 જુલાઈના રોજ જગદીશ શેઠને ચાર્જ મળતા તેઓએ ગોડાઉનમાં રહેલા જથ્થાને જોતા જ જગદીશ ભાઈને શંકા ઉપજી અને તેઓએ પુરવઠા વિભાગને જાણ કરતા તેના સ્ટોકની ગણતરી કરવામાં આવી હતી. આ ગણતરી કરતા જ ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં ઘઉંની 2650 બોરી, અને ચોખાની 1627 બોરી ઓછી જણાઈ હતી જેની કિંમત 91,89,838 થાય છે.

ગોડાઉનના રીટાયાર્ડ મેનેજર સામે 91લાખના ઉચાપતની ફરિયાદ નોંધાઇ
ગોડાઉનમાં અનાજની બોરીની ગણતરી કરતા ઓછી થઈ હોવાથી નવા નિમાયેલા ગોડાઉન મેનેજરે ચાર્જ સંભાળતા જ તેઓ એ આ અંગેની પોલીસમા લેખિતમા અગાઉના મેનેજર કનુ વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મોટી માત્રમાં આનાજની બોરીનું સગેવગે થવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં અનેક સવાલો સામે આવી રહયા છે. પહેલામાં પહેલો તો સવાલ એ ઉભો થાય છે કે આટલી મોટી માત્રમાં અનાજની બોરી સગેવગે થઈ તેની જાણકારી પુરવઠા વિભાગને કેમ ન થઈ. નવા ગોડાઉન મેનેજરને ચાર્જ મળતાં જ કેમ સામે આવ્યું કૌભાંડ. બોરી ઓછી થઈ હોવાની જાણ પુરવઠા વિભાગમાં કર્યા પછી જુના ગોડાઉનમા ચોરી થઈ હોવાની 6 જુલાઇના રોજ અગાઉના મેનેજરે કેમ આપી અરજી જેવા અનેક સવાલો ઉભા થયા છે. અનાજ કૌભાંડને લઇ જવાબ પોલીસ તપાસમા બહાર આવશે. જેની સામે ફરિયાદ થઈ તે ગોડાઉન મેનેજર હાલતો ફરાર છે. જેની ધરપકડ કરવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.પોલિસની તટસ્થ તપાસ બાદ જ કોણે ગરીબ લોકોના હક્કનું અનાજ ગુમ કર્યું. કયા કયા લોકોએ પોતાના ખિસ્સા ગરમ કર્યા એ તો ગુનેગારોને ઝડપ્યા બાદ જ સામે આવશે.

ABOUT THE AUTHOR

...view details