છોટાઉદેપુરઃ ઘઉં,ચોખા,દાળ અને ખાંડ અને મીઠું આપવાનુ તારીખ 01.04.2020 થી ચાલુ કરવામાં આવ્યું છે. તેમાં APL કાર્ડ ધારકો કે જેમના નામ નથી તેમને અનાજ ના મળતા તેઓએ હોબાળો મચાવ્યો હતો અને દુકાન પર થતું અનાજ વિતરણ બંધ કરાવ્યું હતું. જેથી છોટાઉદેપુરના PSI પી.વી વસાવા સ્થળ પર આવિ પહોંચ્યા હતા અને પૂરવઠા મામલતદારને બોલાવી લોકોને સમજાવ્યા હતા. જેથી ફરીથી વિતરણ શરૂ થયું હતું.
છોટાઉદેપુરમાં સસ્તા અનાજની દુકાનો પર લોકોની ભીડ, APL કાર્ડ ધારકોએ મચાવ્યો હોબાળો - APL કાર્ડ ધારકોએ મચાવ્યો હોબાળો
છોટાઉદેપુર જિલ્લામાં સસ્તા અનાજની 365 દુકાનો છે. હાલમાં ચાલી રહેલા લોકડાઉનને કારણે ગુજરાત સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો પરથી વિના મૂલ્ય અનાજ આપવાની જાહેરાત કરી છે. જેથી અનાજ લેવા માટે દુકાનો પર સવારથી જ લોકોની લાઈનો લાગી હતી. છોટાઉદેપુર જિલ્લામાં APLના 55720, BPLના 57323,અંત્યોદયના 18445 કાર્ડ ધારકો છે.
![છોટાઉદેપુરમાં સસ્તા અનાજની દુકાનો પર લોકોની ભીડ, APL કાર્ડ ધારકોએ મચાવ્યો હોબાળો છોટાઉદેપુરમાં સસ્તા અનાજની દુકાનો પર લોકોની ભીડ, APL કાર્ડ ધારકોએ મચાવ્યો હોબાળો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6633266-thumbnail-3x2-cud.jpg)
છોટાઉદેપુરમાં સસ્તા અનાજની દુકાનો પર લોકોની ભીડ, APL કાર્ડ ધારકોએ મચાવ્યો હોબાળો
છોટાઉદેપુરમાં સસ્તા અનાજની દુકાનો પર લોકોની ભીડ, APL કાર્ડ ધારકોએ મચાવ્યો હોબાળો
એ.પી.એલ કાર્ડ ધારકોએ આક્ષેપ કર્યો કે અમારી પાસે રાશન કાર્ડ છે. છતાં અમને અનાજ નથી મળી રહ્યું અમારા પણ રોજગાર બંધ છે, જેથી સરકાર અમોને પણ વિના મૂલ્યે અનાજ આપે. તેમજ જેમને અનાજ મળતું હતું તેમણે તેલની માગણી કરી હતી.