પોરબંદરની જનતાએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી - guajratinews
પોરબંદરઃ શહેરની વિવિધ સંસ્થાઓ એ એક સાથે મળી ચોપાટી ખાતે સાંજે શહીદો કો શ્રદ્ધાંજલિ નામના એક કાર્યક્રમ નું આયોજન કર્યું હતું. જેમાં તમામ પોરબંદર વાસીઓ જોડાઈને રેલી સ્વરૂપે ચોપાટી પર નીકડયા હતા. જેમા શહીદ જવાન અમર રહોના નારા લગાવ્યા હતા. તમામ જ્ઞાતિ અને ધર્મના લોકો આ રેલીમાં જોડાયા હતા જેણે એકતાનું ઉદાહરણ દાખવ્યુ હતું. આ રેલીમાં વિશેષ વાત એ હતી કે તમામ લોકો એક ભારતીય તરીકે જોડાયા હતા.
![પોરબંદરની જનતાએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2478874-1099-86e26a90-8e76-4f44-8600-0d1e57a5778a.jpg)
સ્પોટ ફોટો
આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ એ અલગ અલગ વિસ્તારોમાં પણ શ્રદ્ધાંજલિના કાર્યક્રમ યોજી શહીદો માટે ફંડ પણ એકત્રિત કર્યું હતું. જ્યારે ઓરિએન્ટ એબ્રેસિવ કંપનીમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા મયુરભાઈ જોશીએ પોતાનું એક દિવસનું મહેનતાણું શહીદ જવાનોને સમર્પિત કરી એક અનોખો સંદેશો આપ્યો હતો.
porbandar