પ્રતાપ દુધાતે ખેડૂતોની હાલત બાબતે ગૃહમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતોની હાલત કફોડી બનાવી દીધી છે. ખેડૂતોના દીકરાને કોઈ દિકરી દેવા તૈયાર નથી. ગામડામાં હીરા ઉદ્યોગ પણ ઠપ થઈ ગયો છે. જ્યારે સાવરકુંડલામાં GIDC આપવાની વાત સરકાર દ્વારા કરવામાં આવી હતી, પણ વર્ષો વિતી ગયા હોવા છતાં પણ મળી નથી. તારાપુરથી બોરસદનો રોડ મરણ પથારીએ છે. તેમ છતાં પણ સરકારે બજેટમાં કોઈ જોગવાઈ કરી નથી.
સરકારની લાઈનમાં ઉભા રહેવા હવે 'અમે બે અમારા ત્રણ'નું સૂત્ર કરવું પડશે: પ્રતાપ દુધાત - MLA Pratap Dudhat
ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં બજેટની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે સરકાર પર કામકાજમાં મોડું થતા હોવાના આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે, સરકારી કામ કરવા હવે એક સંતાન વધારવું પડશે. જેથી હવે 'અમે બે અમારા બે' સૂત્રને બદલી 'અમે બે અને અમારા ત્રણ' સૂત્ર કરવાનું સૂચન આપ્યું હતું.
![સરકારની લાઈનમાં ઉભા રહેવા હવે 'અમે બે અમારા ત્રણ'નું સૂત્ર કરવું પડશે: પ્રતાપ દુધાત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3793304-thumbnail-3x2-jdfh.jpg)
પ્રતાપ દુધાત
રાજ્યમાં મધ્યમ સામાન્ય વર્ગ ખતમ થઈ રહ્યો છે, ડાયમંડ ઉદ્યોગ બંદ થઈ રહ્યા છે. આ સરકારની અંદર લોકો લાઈનોમાં જ હોય છે. ખેડૂતોને ઉતારાને બદલે સ્માર્ટ કાર્ડ આપવામાં આવે છે. આ તમામ કામ કરવા માટે લાઈનમાં ઉભું રહેવું પડે છે. જેથી સરકારે 'અમે 2 અમારા 2' ના બદલે 'અમે 2 અમારા 3' નું સૂત્ર કરવાનું સૂચન પ્રતાપ દૂધાતે કર્યું હતું.