ગુજરાત

gujarat

ETV Bharat / state

જલિયાવાલા બાગ નરસંહારની 100મી વરસી, જાણો શું થયું હતું તે દિવસે - Gujarati news

ન્યૂઝ ડેસ્કઃ દેશની આઝાદીના ઈતિહાસમાં 13 એપ્રિલ, 1919ના દિવસ એક દુઃખદ ઘટના તરીકે નોંધાયેલી છે. આ દિવસે જલિયાંવાલા બાગમાં એક સભામાં ભેગા થયેલા હજારો ભારતીયો પર અંગ્રેજોએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનાને આજે 100 વર્ષ પૂર્ણ થયા છે. આ નરસંહાર ભારતીય સ્વતંત્રતા સંઘર્ષના ઇતિહાસનુ એક કાળું પ્રકરણ છે.

જલિયાંવાલા બાગ

By

Published : Apr 13, 2019, 10:58 AM IST

Updated : Apr 13, 2019, 12:52 PM IST

સંસદને જલિયાંવાલા બાગને 1951માં 'જલિયાંવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક' પારિત કર રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કર્યુ હતુ. આ સ્મારકનું સંચાલન અને દેખરેખ જલિયાંવાલા બાગ નેશનલ મેમોરિયલ ટ્રસ્ટ (JBNMT) દ્વાર કરવામાં આવે છે.

સ્મારક

જાણો શું થયું 13 એપ્રિલ 1919ના દિવસે...

13 એપ્રિલ 1919ના દિવસે વૈશાખીનો તહેવાર હતો. આ દિવસે અમૃતસરના જલિયાંવાલા બાગમાં એક સભા રાખવામાં આવી હતી. જેમાં કેટલાક નેતાઓ ભાષણ દેવાના હતા. શહેરમાં કર્ફ્યૂ લાગેલુ હતું, તો પણ સભામાં હજારો લોકો આવ્યા હતા. જેઓ તહેવાર નિમિત્તે પરિવાર સાથે મેળો જોવા અને શહેરમાં ફરવા માટે આવ્યા હતા અને સભાની ખબર સાંભળી જલિયાંવાલા બાગમાં પહોંચી ગયા હતા. બાગમાં નેતાઓ ભાષણ આપવાનું શરૂ કર્યું અને એટલામાં ડાયરે બગીચાના એક માત્ર રસ્તા પર હથિયારથી ભરેલી ગાડીઓ ઊભી રાખી દીધી.

પ્રદર્શન માટે જતા લોકો
બાગમાં સ્થિત કૂવો

ડાયરે લગભગ 100 સિપાહીઓ સાથે બાગીચાના દરવાજે પહોંચ્યા. જેમાં લગભગ 50 સૈનિકો પાસે બંદૂકો હતી, ત્યાં પહોંચી કોઈપણ ચેતવણી આપ્યા વિના ફાયરિંગ શરૂ કર્યું. બગીચામાં સભા માટે આવેલા લોકો અચાનક થયેલા ગોળીબારથી ડરીને બાગમાં આવેલા એક કૂવામાં કૂદવા લાગ્યા. ગોળીબાર બાદ 200 થી વધુ મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ઉધમ સિંહ

આ ઘટનાની પ્રતિક્રિયા સ્વરુપે સરદાર ઉધમસિંહે 13 માર્ચ 1940ના દિવસે લંડનના કૈક્સટન હોલમાં જલિયાંવાલા બાગમાં હત્યાકાંડ કરનારા ગવર્નર માઇકલઓ ડાયરની ગોળી ચલાવી હત્યા કરી નાખી. જેથી તેમને આ ગુના હેઠળ 31 જુલાઈ 1940 ના રોજ ફાંસી આપવામાં આવી હતી.

Last Updated : Apr 13, 2019, 12:52 PM IST

ABOUT THE AUTHOR

...view details