ગુજરાત

gujarat

By

Published : Mar 14, 2021, 6:02 PM IST

ETV Bharat / state

ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ. પી. સ્વામીને તડીપાર કરવાની નોટિસ મળી

ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ. પી. સ્વામીને બોટાદ ડે. કલેક્ટરે 6 જિલ્લામાથી તડીપાર કરવાની નોટિસ આપી 25 માર્ચ સુધીમાં જવાબ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. તેમજ વાઈરલ થયેલા વીડિયો બાબતે મંદિરના ચેરમેન હરજીવનદાસ સ્વામીએ એસ. પી. સ્વામી વિરુદ્ધ ફરીયાદ નોધવામાં આવી હતી. મંદિર મામલે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ બાબતે DySP નકુમ દ્વારા કેસો પરત ખેંચવા દબાણ કરવામાં આવી રહ્યુ હોવાના આક્ષેપો સાથે આ સમગ્ર મામલાની તપાસ CBIને સોંપવામાં આવે તેવી એસ. પી. સ્વામીએ માંગ કરી હતી.

ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ. પી. સ્વામીને તડીપાર કરવાની નોટિસ મળી
ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ. પી. સ્વામીને તડીપાર કરવાની નોટિસ મળી

  • નાયબ કલેક્ટરે એસ. પી. સ્વામીને 6 જિલ્લામાંથી તડીપાર કરવાની નોટિસ ફટકારી
  • એસ. પી. સ્વામી ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન હતા
  • સમગ્ર મામલાની તપાસ CBIને સોંપવામાં આવે તેવી એસ. પી. સ્વામીએ માંગ કરી

આ પણ વાંચોઃગઢડાના ગોપીનાથજી મંદિરમાં DySp દ્વારા બીભત્સ શબ્દો બોલી સંતોને માર મારવાની ઘટનાનો પડઘો વિદેશમાં પડ્યો

બોટાદઃ ભગવાન સ્વામીનારાયણ 29 વર્ષ ગઢડામાં રહી ગામને પોતાની કર્મભૂમી બનાવી હતી. જેથી ગઢડા સવામિનારાયણ સંપ્રદાયનુ મહત્વનું તિર્થધામ ગણાય છે. ગઢડામાં ભગવાન સ્વામિનારાયણનું ગોપીનાથજી મંદિર આવેલુ છે. છેલ્લા દોઢેક વર્ષથી દેવપક્ષ સત્તા પર આવ્યા બાદ ગોપીનાથજી મંદિર કોઈને કોઈ વિવાદમાં રહ્યું છે. બોટાદ જિલ્લાના નાયબ કલેક્ટર દ્વારા ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ. પી. સ્વામીને 6 જિલ્લામાથી તડીપાર કરવા માટેની નોટિસ આપવામાં આવી છે. 25 માર્ચ સુધીમાં તેમણે નોટિસને અનુસંધાને કોઈ જવાબ આપવો હોય તો નોટિસમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

એસ. પી. સ્વામીએ પ્રતિક્રિયા આપી

એસ. પી. સ્વામીએ પ્રતિક્રિયા આપી

ગઢડા ગોપીનાથજી મંદિરના દેવપક્ષના ચેરમેન હરજીવન સ્વામીએ મંદિરના વીડિયો વાઈરલ કરવાના મામલે પોલીસ ફરિયાદ પણ નોધાવવામાં આવી છે. જે સમગ્ર મામલે એસ. પી. સ્વામીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે, તેમના ઉપર એવા કોઈપણ ગંભીર ગુના નથી, લોકડાઉન દરમિયાન મંદિરના મેદાનમાં ધૂન કરવાનો 188 મુજબ ફરીયાદ થઈ હતી. તેમજ જમીન વિવાદ સમયે ફરીયાદ દાખલ કરેલી હતી. મંદિરના ચેરમેનનો વિવાદ અને DySP નકુમની દાદાગીરીનો વીડિયો વાઈરલ થયાના મામલે હાઈકોર્ટેમા કેસ ચાલે છે. જેને લઈને DySP રાજદિપસિહ નકુમ તેમના માણસો દ્વારા કેસ પાછો ખેંચવા દબાણો કરવામાં આવે છે. આ બાબતે તંત્ર દ્વારા રાગદ્વેષ રાખી મને બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ એમ 6 જિલ્લામાથી તેમને તડીપાર કેમ ન કરવા બાબતે ડેપ્યુટી કલેક્ટરે ખુલાસો આપવા નોટિસ આપી છે. પરંતુ જો સરકાર દ્વારા આ સમગ્ર મામલે CBIને તપાસ સોંપવામાં આવે તેવી ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ. પી. સ્વામીએ માંગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details