બોટાદઃ કોરોના વાઇરસના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ અનુસાર સ્વયંભૂ કરફ્યુના આદેશના પગલે સમગ્ર દેશમાં જ્યારે સ્વયંભૂ કરફ્યૂ રાખવામાં આવ્યો હતો. જે અંતર્ગત બોટાદમાં પણ સ્વયંભૂ કરફ્યૂ રાખવામાં આવ્યો હતો. આ સ્વયંભૂ કરફ્યુના કારણે લોકોની અવર-જવર નહિવત જણાતી હતી. મેડિકલ સ્ટોર તેમજ હોસ્પિટલ સિવાય તમામ દુકાનો બંધ રાખવામાં આવી હતી.
બોટાદ ખાતે સ્વયંભૂ કરફ્યુના કારણે સવારથી જ તમામ દુકાનો બંધ રાખવામાં આવી હતી. પરંતુ કોઇ બીમાર વ્યક્તિને તકલીફ ન પડે તેવા કારણોસર મેડિકલ સ્ટોર તેમજ હોસ્પિટલ ખુલ્લી રાખવામાં આવા હતી. આ સિવાય તમામ બજારો તેમજ જાહેર રસ્તા તેમજ હીરા બજાર તથા બોટાદના મેઇન રોડ સૂમસામ હતા.