- કાઠિયાવાડી અશ્વની જાતિને બચાવી શકાય
- અશ્વ ઉછેર માટે સરકાર સહાય આપે
- પળીયાદ ખાતે યોજવામાં આવ્યું અશ્વનું રજીસ્ટ્રેશન
બોટાદ: ગુજરાતમાં અલગ અલગ વિસ્તાર અલગ અલગ નામથી ઓળખાય છે. આ દરેક વિસ્તારના અશ્વની અલગ કહાની છે. જેમાં સોરઠ, ગોહિલવાડ, ઝાલાવાડ અને કાઠિયાવાડનો ઉલ્લેખ થાય છે. જેમાં પણ કાઠિયાવાડના ઘોડાની ઓળખ પણ કંઈક અલગ છે. ત્યારે લુપ્ત થતી આ કાઠિયાવાડ અશ્વ જાતિને બચાવવામાં આવે તેવો વિચાર સાથે કાઠિયાવાડ અશ્વના રજિસ્ટ્રેશનનું આયોજન બોટાદ જિલ્લાના પાળીયાદ ખાતે કરવામાં આવ્યું છે. આ માટે જિલ્લા તેમજ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારમાંથી અશ્વ પાલક પોતાના અશ્વ સાથે રજિસ્ટ્રેશન કરાવવા માટે પહોંચ્યા હતા.
કાઠિયાવાડી અશ્વની જાતિને બચાવી શકાય
આ વિશે અશ્વ પાલકે જણાવ્યું હતું કે, અશ્વના રજિસ્ટ્રેશન માટે અશ્વની હાઈટ સહિત અલગ અલગ તપાસ કરી કાઠિયાવાડ અશ્વનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. તેમજ અશ્વ સવારો દ્વારા ઘોડસવારીની સ્પર્ધાઓ જીતનાર પાલકોનું પણ પાળીયાદ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: 67 વર્ષીય હસમુખભાઈએ ઘોડા પર સવાર થઈને મતદાન સેન્ટર પર પહોંચી મત આપ્યો