ભાવનગર: ભાવનગરના સિહોરમાં આંબેડકર ચોક ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર કોઈ અજાણ્યા ઈસમો દ્વારા તેમના મુખને ડોલ વડે ઢાંકી દઈ તેમજ બાજુમાં દારૂની ખાલી બોટલ મૂકી હતી.
સિહોરમાં બાબા સાહેબની પ્રતિમા પર કોઈએ ડોલ વડે મુખ ઢાંક્યું, દલિત સમાજમાં રોષ - સિહોર ન્યૂઝ
ભાવનગરના સિહોરમાં આંબેડકર ચોક ખાતે કોઈ ઈસમે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર ડોલ વડે મુખ ઢાંકી દીધુ હતું. આ ઉપરાંત પ્રતિમાની બાજુમાં દારૂની બોટલ મુકી દીધી હતી. સમગ્ર ઘટનાને પગલે દલિત સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

બાબા સાહેબ
આ બનાવ અંગે સવારે 8 કલાકે દલિત સમાજના લોકોને જાણ થતાં તેઓ મોટી સંખ્યામાં ત્યાં દોડી ગયા હતા. તેમજ આ અંગે પોલીસને જાણ કરી આ કૃત્ય કરનારને ઝડપી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. જ્યાં સુધી આ શખ્સ નહીંં પકડાય ત્યાં સુધી દલિત સમાજના લોકો ત્યાં જ રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.