- પાંચ પાંચ પેઢીથી ચાલતા વ્યવસાયને નથી મળતી સરકારની સીધી યોજના
- જૂની પરંપરાગત કલાકારી આર્થિક ભીંસમાં પતન થવામાં એંધાણ ત્યારે ટેકો જરૂરી
- સરકારની યોજનાઓમાં સંઘેડિયાઓની વ્યાખ્યા જ નહીં હોવાથી લાભથી વંચિત
ભાવનગર:ગુજરાતના કોઈ પણ જિલ્લામાં પગ મુકો એટલે સંઘેડિયાઓની એક બજાર જરૂર જોવા મળે છે. ઘર વપરાશની ચિઝો લાકડામાંથી બનાવતા સંઘેડિયાઓની પરિસ્થિતિ દયનિય બનતી જાય છે. સરકારી યોજનાઓનો લાભ સીધો મળતો નથી. મહામારીમાં સંઘેડિયાઓએ આપણી જૂની સંસ્કૃતિ અને ઐતિહાસિક ચિઝોની જીવંત રાખવા સીધા લાભની માગ કરી છે. 5 પેઢીથી પરિવાર એક જ વ્યવસાયમાં છે જાણીએ શું સ્થિતિ છે.
ભાવનગરની સંઘેડિયા બજાર અને તેમની અલગ કલાકારીમાં બનતી ચિઝો
ભાવનગર સહિત સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં સંઘેડિયાઓ જોવા મળે છે કારણ કે, સંઘેડિયાઓ ખાટલા, વેલણ પાટલી, ઘોડિયા, સોગંઠા જેવી અનેક ચિઝો બનાવે છે. પહેલા સમયમાં લાકડાની ખીતીની ખૂબ માગ રહેતી પણ આજે તે નાશ પામી છે. હાલમાં ઘોડિયા, વેલણ પાટલી, ખાટલા તેમજ વધીને સોગંઠાબાઝીમાં વ્યવસાય સમાઈને રહી ગયો છે. ત્રીજી પેઢીના જાણકાર ભરભાઈનું કહેવું છે કે, સરકાર દરેક ઉદ્યોગને લાભ આપે છે પણ વર્ષોથી સંઘેડિયાઓ હોવા છતાં તેની વ્યાખ્યા નથી કરવામાં આવી જેથી સંઘેડિયાઓને સીધો લાભ મળતો નથી. કોરોના મહામારીમાં આર્થિક હાલત ખરાબ છે અને વ્યવસાયને ટકાવી રાખવા માટે ટેકો જરૂરી છે માટે સીધો લાભ મળે તો ફાયદો થાય આથી સરકાર પાસે માગ પણ કરી છે.
આ પણ વાંચો:માળિયા તાલુકાના કાત્રાસા ગામમાં તૌકતે વાવાઝોડાથી થયેલા નુકસાનનું વળતર આપવા ગ્રામજનોની માગ