ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં વર્ષો જૂનું મંદિર હટાવતા સ્થાનિકોની લાગણી દુભાઇ

ભાવનગરઃ શહેરના ઘોઘા રોડ પર છેલ્લા ઘણા સમયથી અડચણરૂપ ધર્મસ્થાન દૂર કરવા માટે અહીંના પૂજારીને ચેતવણી આપ્યા બાદ ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે JCB અને પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી જઇ ધર્મસ્થાનને હટાવવા માટે કાર્યવાહી શરૂ કરતાં સ્થાનિક કક્ષાએ 50થી 60 લોકોના ટોળા ધર્મસ્થાનની અંદર ઘુસી ગયા હતા અને ધૂન શરૂ કરી દીધી હતી. સ્થાનિકોના આ વિરોધના પગલે થોડા સમય માટે વાતાવરણ તંગ બની ગયું હતું અને પોલીસને બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી.

By

Published : Jun 26, 2019, 5:49 PM IST

વર્ષો જુનુ મંદિર હટાવતા સ્થાનિકોની લાગણી દુભાઇ

ભાવનગર મહાનગરપાલિકા તંત્ર વિકાસના નામે હાલ રસ્તાઓ પહોળા કરવાનું કામ કરી રહી છે, જેના ભાગરૂપે ભાવનગરના ઘોઘા રોડ પર રસ્તો પહોળો કરવાની કામગીરીના ભાગરૂપે અડચણરૂપ ધર્મસ્થાન હટાવવા માટે ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે પૂજારીને નોટિસ ફટકારી હતી.

ભાવનગરમાં વર્ષો જૂનું મંદિર હટાવતા સ્થાનિકોની લાગણી દુભાઇ

જો કે વારંવારની નોટિસ ફટકારવા છતાં પણ ધર્મસ્થાન ન હટાવાતા આખરે ભાવનગર મહાનગરપાલિકાને એસ્ટેટ વિભાગે જેસીબી સહિત પોલીસ કાફલાને લઇ ઘટના સ્થળે દોડી ગયું હતું અને ધર્મસ્થાનને હટાવવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી.

જો કે આ કામગીરી શરૂ કરવામાં આવે તે પૂર્વે જ સ્થાનિક કક્ષાએ રહેતા 50 થી 60 જેટલા સ્ત્રી-પુરુષોના ટોળાએ ધર્મસ્થાનની અંદર ઘૂસી જઈ ધૂન બોલાવવાની શરૂ કરી હતી અને મહાનગરપાલિકાની કામગીરી અડચણરૂપ થવાનો પ્રયત્ન કર્યો હતો. આ બનાવના પગલે થોડા સમય માટે વાતાવરણ તંગ બન્યું હતું અને ઉપસ્થિત પોલીસ કાફલાએ હાજર સ્થાનિક લોકોના ટોળાને સમજાવવા પ્રયત્ન કર્યો હતો.

પરંતુ, સ્થાનિકો પોતાની જીદ પર રહેતા આખરે પોલીસને બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી આ બળપ્રયોગ ના કારણે થોડા સમય માટે વાતાવરણ તંગ બન્યું હતું.

આ બનાવની ગંભીરતાને જોતા ભાવનગર સિટી Dysp મનીષ ઠાકર સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી, આખરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ધર્મસ્થાનને હટાવવામાં આવ્યું હતું. જો કે ભાવનગર મહાનગરપાલિકાએ આ ધર્મસ્થાને હટાવતા પહેલા તેમાં રહેલી પ્રતિમાને સુરક્ષિત સ્થળે ખસેડી હતી.

ABOUT THE AUTHOR

...view details