- રસ્તો પોહળો કરવા માટે દબાણ હટાવતી મનપા
- નવાબંદર રોડ પર આવેલા અડચણ રૂપ મામાના ઓટલા હટાવ્યાં
- સ્થાનિકોમાં રોષ ફેલાયો
ભાવનગરઃ શહેરમાં નવા બંદર રોડ પર આવેલા રસ્તાને મોટો બનાવવા માટે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે મામાના બે દેવલાયને હટાવ્યાં હતા. ભાવનગર મહાનગરપાલિકા એસ્ટેટ વિભાગે દબાણો દૂર કર્યા છે. જેમાં જયશ્રી દરબારી ખીજડાવાળા મામા તથા હરખા મામા એમ બે આસ્થાના સ્થળ પરનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.
દબાણોમાં આવતા અગાવ અનેક મંદિરો તોડવામાં આવ્યાં હતાં
ભાવનગર મહાનગરપાલિકા કોરોના કાળમાં પણ પોતાની દબાણની કામગીરી કરીને રસ્તાઓ પોહળા કરવાનું કામ કરી રહી છે. ભાવનગરમાં દબાણોમાં આવતા અનેક મંદિરો અગાવ તોડવામાં આવ્યાં છે, ત્યારે ફરી આસ્થાના ભાગ રૂપ બે મામાના ઓટલા તોડી પાડતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે.