ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં મલ્ટીલેવલ પાર્કિંગ બનવાની સમયમર્યાદા પૂર્ણ છતાં કામ હજુ બાકી, ટ્રાફિકથી લોકો થયા ત્રસ્ત

ભાવનગર: શહેરના હાર્દ સમા વિસ્તાર એવા ગંગાજળીયા તળાવ કે જ્યાં સીટી બસ સ્ટેન્ડ આવેલું છે. શહેરમાં મુખ્ય બજાર અને શાકમાર્કેટમાં આવતા જતા લોકોને હાલ પાર્કિંગની સુવિધા નહિ હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેને ધ્યાને લઇ મહાનગર પાલિકા દ્વારા મલ્ટીલેવલ પાર્કિંગ બનાવામાં આવ્યું છે પરંતુ આ પાર્કિંગ પૂર્ણ થવાને સમય મર્યાદા પૂર્ણ થવા છતાં કામ અધૂરું છે અને કામ પૂર્ણ થયા બાદ પણ કોઈ એજન્સી આ પાર્કિંગને સંભાળશે તો લોકાર્પણ થશે. જેને એક માસ કરતા વધુ સમય લાગશે.

By

Published : May 15, 2019, 3:49 AM IST

વીડિયો

ભાવનગર શહેરમાં આડેધડ થતા વાહન પાર્કિંગથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આમ તો શહેરના બધા જ વિસ્તારમાં પાર્કિંગને લઈને શહેરીજનો પરેશાન થઇ ગયા છે. પણ ખાસ કરીને મુખ્ય બજાર એમ.જી.રોડ, હેવમોર ચોક, શાકમાર્કેટ અને ગંગાજાળિયા તળાવ જેવા વિસ્તારમાં તો પાર્કિંગ સમસ્યા લોકો અને તંત્ર માટે માથાના દુખાવા રૂપ બની ગઈ છે. જેને પગલે મહાનગર પાલિકા દ્વારા ગંગાજળીયા તળાવમાં ખાલી પડેલી જગ્યા પર મુખ્યમંત્રી શહેરી વિકાસની પાંચ કરોડની ગ્રાન્ટમાંથી મલ્ટીલેવલ પાર્કિંગ ઉભું કરવામાં આવ્યું છે.

જેમાં અંદાજે ૮૨૦ ટુ વ્હીલર, અને ૧૬૦ કાર પાર્કિંગ થઇ શકે તેવું ત્રણ માળનું ભવ્ય પાર્કિંગની સુવિધા છે. પરંતુ જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી ભાવનગરના લોકોએ પાર્કિંગ માટે અસુવિધા ભોગવવી પડશે. પાર્કિંગના કામની સમય મર્યાદા ૧૮ માસની હતી જે પૂર્ણ થઇ ગયા છતાં કામ ૧૦ ટકા બાકી છે. જેના લીધે હાલ શહેરની મુખ્ય બજાર અને શાકમાર્કેટમાં આવતા લોકો પોતાના વાહનો રોડ રસ્તા પર પાર્કિંગ કરે છે. જેના લીધે અન્ય લોકોને ભારે મુશ્કેલી ભોગવી પડે છે. તેમજ વાહન પાર્ક કરવાવાળા લોકોને પણ જગ્યા નહિ મળતા ટોઈંગ થવાનો ભય તેમજ રખડતા ઢોરનો ત્રાસ સહન કરવો પડે છે.

ભાવનગરમાં મલ્ટીલેવલ પાર્કિંગ બનવાની સમયમર્યાદા પૂર્ણ છતાં કામ હજુ બાકી, ટ્રાફિકથી લોકો થયા ત્રસ્ત

ભાવનગરના લોકોને પાર્કિંગ માટે પડતું મુશ્કેલી મહાનગર પાલિકાના મેયરને પૂછવામાં આવતા મેયર દ્વારા જણાવ્યુ કે, લોકોની સુવિધાને પાર્કિંગની મુશ્કેલી દુર કરવા જ મલ્ટીલેવલ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે. જેનું કામ હાલ ૧૦ ટકા જેટલું બાકી છે. તેમજ કામ પૂરું થાય પછી ટેન્ડર બહાર પડી કોઈ એજન્સી આ પાર્કિંગને સંભાળશે તો આ પાર્કિંગનું લોકાર્પણ કરવામાં આવશે. ચુંટણીની આચારસંહિતાને લીધે પણ લોકાર્પણ કરી શકાય નહિ માટે એકાદ માસ બાદ લોકાર્પણ કરવામાં આવશે.

ભાવનગર શહેરના લોકોને મુખ્ય બજાર અને શાકમાર્કેટમાં પડી રહેલી પાર્કિંગની સુવિધા માટે મહાનગર પાલિકા દ્વારા એક માસ જેવો સમય લાગશે તેમ જણાવ્યું છે. પણ હવે જોવું રહ્યું કે, ભાવનગરના લોકો માટે માથાના દખાવા રૂપ બનેલો પાર્કિંગ પ્રશ્ન ક્યારે દુર થશે.

ABOUT THE AUTHOR

...view details