ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં ફરી એકવાર અશાંત ધારાને લઈને મામલો ગરમ

ભાવનગર શહેરમાં ફરી એકવાર લોકો અશાંત ધારાને (ashant dhara demand in Bhavnagar) લઈને રોષ જોવા મળ્યા છે. જેને લઈને સ્થાનિકોએ કલેકટરને આવેદનપત્ર આપીને સવાલ કરી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે, માંગ નહિ સ્વીકારાય તો આગામી દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ એકતા હિત રક્ષક મંચ ગાંધીનગર ઘેરાવ કરશે.(Pragji Daveni Street ashant dhara demand)

By

Published : Dec 24, 2022, 5:59 PM IST

ભાવનગરમાં ફરી એકવાર અશાંત ધારાને લઈને મામલો ગરમ
ભાવનગરમાં ફરી એકવાર અશાંત ધારાને લઈને મામલો ગરમ

ભાવનગરમાં અશાંત ધારા લાગુ કરવામાં માટે સ્થાનિકોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું

ભાવનગર : શહેરના જુના ભાવનગર વિસ્તારમાં રહેતા લોકો દ્વારા ફરી અશાંત ધારો (ashant dhara demand in Bhavnagar) લાગુ કરવાની માંગ કરી છે. શહેરના દિવાનપરા નજીક આવેલી પ્રાગજી દવેની શેરીમાં રહેતા રહીશોએ આવેદનપત્ર આપ્યું હતું અને માંગ કરી હતી કે અશાંતધારો લાગુ કરવામાં આવે. જેમાં સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે, માંગ નહી સ્વીકારાય તો આગામી દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ એકતા હિત રક્ષક મંચ ગાંધીનગર ઘેરાવ કરશે. (Pragji Daveni Street ashant dhara demand)

કલેકટરને આવેદનપત્ર આપ્યું ભાવનગરની પ્રાગજી દવેની શેરીમાં રહેતા હિન્દુઓએ હિન્દુ હિત રક્ષા મંચના નેજા તળે DSP અને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. સ્થાનિક લોકોની માંગ છે કે હાલમાં તકલીફો છે અને સ્કીમ બનાવવામાં આવે છે. વિદ્યર્મીઓ અન્યને વચ્ચે રાખી મકાન ખરીદી કરવાની સ્કીમ ચલાવી રહ્યા છે. જેટલા છે તેઓ પણ રસ્તા વચ્ચે પાણી ઢોળવું, આડેધડ વાહન પાર્ક કરવું અને રાત્રે કામગીરીઓ કરવી જેવી સમસ્યાઓ સ્થાનિક હિન્દુઓ માટે ઉભી કરી રહ્યા છે. આથી અન્ય મહાનગરોમાં અશાંત ધારો હોય તો ભાવનગરમાં કેમ નહિ ? આવા સવાલ સાથે માંગ કરી છે. (Pragji Daveni Street demand of ashant dhara)

આ પણ વાંચોજૂનાગઢમાં અશાંત ધારો લગાવો, સિનિયર ધારાશાસ્ત્રીની સરકારને માગ

સ્થાનિકોનું શું કહેવું છે સ્થાનિક રહેવાસી ગૌરાંગ પંડ્યાએ જણાવ્યું હતું કે, ભાવનગરમાં અમારી શેરીમાં એક બિલ્ડીંગ થાય છે. ભાગીદારીમાં કરવામાં આવે છે પણ સુત્રોમાંથી અમને જાણ થઈ છે કે, ત્યાં જમાતખાનું બનાવે છે. અન્ય લોકોને વચ્ચે રાખીને આ લોકો આવા વિસ્તારોમાં મકાન ખરીદે છે. ભાવનગરમાં 8થી 10 વર્ષમાં અનેક અરજીઓ આવેદન અપાયા છે, પણ આ હિન્દુત્વની સરકારની વાતુંકરતી સરકાર કાઈ કરતી નથી. મેઘાણી સર્કલમાં એક સમયે વિધર્મીઓને પગલે બહોળો વિરોધ થયો પણ થયું કશું નહીં. આવા અનેક વિસ્તારોમાં આવી અરજીઓ થઈ છે. અમે આવેલી નવી સરકારને કહીએ છીએ કે મોરબી જેવા ગામમાં અશાંત ધારો લાગુ તો ભાવનગરમાં કેમ નહિ ? અમારી માંગ નહી સ્વીકારાય તો આગામી દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ એકતા હિત રક્ષક મંચ ગાંધીનગર ઘેરાવ કરશે. (ashant dhara act in Bhavnagar)

આ પણ વાચોરાજકોટની સોસાયટીમાં અશાંતધારો લાગ્યા બાદ અસામાજીક તત્વોનો ત્રાસ ઘટ્યો

અગાઉ કેટલાક સમયથી માંગ છતાં પગલાં નહિશહેરના અનેક વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા હિન્દુ વિસ્તારમાં મકાન ખરીદી થતા રોષ અને માંગો ઉઠી છે. ભાવનગરમાં પૂર્વ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી સૂત્રોના જણાવ્યા પ્રમાણે 10 વર્ષથી અશાંત ધારાની માંગ થઈ રહી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં જુના ભાવનગર વિસ્તાર જેવા કે પ્રાગજી શેરી, બાર્ટન લાઈબ્રેરી આસપાસ અને મેઘાણી સર્કલ સુધીના વિકસિત વિસ્તાર અને શિશુવિહાર જેવા વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા મકાનો લેવામાં આવ્યા છે. પરંતુ સ્થાનિક તંત્ર કે સરકાર કોઈ પગલાં ભરતું નથી. (Ashant Act Demand in old Bhavnagar)

ABOUT THE AUTHOR

...view details