- ભાવનગરમાં તળાજાના પસ્વી ગામમાં નેશનલ હાઈવે પર ચક્કાજામ કરાયો
- સ્થાનિક લોકોએ નેશનલ હાઈવે પર ચક્કાજામ કરતા 5 કિમી ટ્રાફિક જામ થયો
- ખેડૂત એકતા મંચના નેજા હેઠળ 30 સરપંચો સહિતના ગ્રામજનોએ કર્યો ચક્કાજામ
- ટૂંક સમયમાં કામ શરૂ થશે તેવી ખાતરી તળાજાના SDMએ આપી
આ પણ વાંચોઃહાઇવે ચક્કાજામ કરવાના કેસમાં હાર્દિક પટેલ કઠોર કોર્ટમાં હાજર થયો
ભાવનગરઃ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેની ખરાબ હાલતના કારણે મહુવા-તળાજાના લોકો હેરાન થઈ રહ્યા છે. હવે આ લોકોએ તળાજાના પસ્વી ગામમાં આવેલા નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો છે. જોકે, મહુવા, તળાજા અને મહુવા-રાજુલાના નેશનલ હાઈવે રોડની નવી ટેન્ડર પ્રક્રિયા થઈ નવા કોન્ટ્રકટરને કામ અપાઈ ગયા પછી મહુવા અને તળાજામાં અઠવાડિયામાં બે વખત ચક્કાજામ થયો હતો. આ પહેલા સરકાર દ્વારા કામ શરૂ કરાયા ની જાહેરાત બાદ પણ શુક્રવારે તળાજાના પસ્વી ગામ નજીક નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો.