ગુજરાત

gujarat

By

Published : Sep 28, 2019, 10:04 PM IST

ETV Bharat / state

ભાવનગરમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ બોરતળાવમાં નવા નીરના કર્યા વધામણાં

ભાવનગર: શહેર મધ્યે આવેલા ગૌરીશંકર સરોવર-બોરતળાવ હાલ છલક સપાટીએ પહોંચ્યું છે, ત્યારે નવા નીરને વધાવવા માટે ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, ભાવનગર શહેર પૂર્વેના ધારાસભ્ય વિભાવરીબેન દવે, સાંસદ ડૉ. ભારતીબેન શિયાળ, મેયર સહિત ભાવનગર મહાનગર પાલિકાના સત્તાધીશો દ્વારા બોરતળાવ છલક સપાટીએ પહોંચેલા નવા નીરનું શાસ્રોકત વિધિ મુજબ પૂજન અર્ચન કરી વધામણા કર્યા હતાં.

Bhavnagar

નવા નીરના વધામણા કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ નગરજનો તથા ભાજપના કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, 'ગૌરીશંકર સરોવર-બોરતળાવ ભાવેણાના પૂર્વે રાજવી પરિવારની બેનમુન ભેટ છે. આ વર્ષે વરૂણ દેવની કૃપાને કારણે બોરતળાવ છલક સપાટીએ પહોંચ્યું છે, ત્યારે આ વાત ભાવનગર વાસીઓ માટે ગર્વની બાબત છે. જળનો લોકો વિવેક પૂર્ણ રીતે ઉપયોગ કરે, પ્રદુષણ મુક્ત બોરતળાવ, પ્રદુષણ મુક્ત ભાવનગર બને તે જોવાની જવાબદારી તંત્ર અને આપણે સૌ ભાવનગર વાસીઓની છે'.

ભાવનગરમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ બોરતળાવમાં નવા નીરના કર્યા વધામણાં

ABOUT THE AUTHOR

...view details