ભાવનગર: ભાવનગર ડીએસપી કચેરી ખાતે યુવરાજસિંહ જાડેજાને સમન્સ પાઠવ્યા બાદ 12 કલાકે હાજર થવાનું હોય જેને પગલે ડીએસપી કચેરીમાં SOG કચેરીએ જતા રસ્તા પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવાઈ ગયો છે. ડીએસપી કચેરીમાં SOG તરફ જવાના માર્ગ પર બેરીકેટ લગાવી દેવામાં આવ્યા પરંતુ યુવરાજસિંહ જાડેજા આવ્યા નહિ અને તેમના પત્નીએ મેઈલ મારફત યુવરાજસિંહની તબિયત પગલે 10 દિવસની વધુ માંગ કરી લીધી હતી. આથી પોલીસે 10ના બદલે 2 દિવસ જ આપ્યા અને બીનું સમન્સ પાઠવી દીધું છે.
DSP કચેરીએ બેરીકેટ: ભાવનગર 36 લોકો સામે ફરિયાદ નોંધાય છે ત્યારે બીપીન ત્રિવેદી નામના શિક્ષકે યુવરાજસિંહ જાડેજા સામે 55 લાખ નામ પ્રેસ કોન્ફરસ નામ ડમીકાંડમાં સામેલ લોકોના નહિ લેવાના લીધા હોવાનો આક્ષેપ કર્યાનો વિડીયો વાયરલ હતો. આથી ભાવનગર SOG દ્વારા સીઆરપીસી 160 મુજબ યુવરાજસિંહ 19 તારીખના રોજ બપોરે 12 કલાક હાજર રહેવા સમન્સ પાઠવ્યું હતું. જેને પગલે ભાવનગર ડીએસપી કચેરી ખાતે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવાયો હતો. ડીએસપી કચેરીએ SOG કચેરી તરફ જતા રસ્તા ઉપર બેરીકેટ પણ લગાવી દેવામાં આવ્યા હતા. સવારથી પોલીસ અને મીડિયા આકરી ગરમીમાં 2 કલાક સુધી રાહમાં રહ્યા હતા. જો કે યુવરાજસિંહ હાજર થયા નહિ.
યુવરાજસિંહના પત્રનીએ કર્યું ટ્વીટ: ભાવનગર ડીએસપી કચેરીએ પોલીસ મીડિયા રાહમાં રહ્યું પરંતુ યુવરાજસિંહ આવ્યા નહીં અને બપોરે 1:30 કલાક આસપાસ યુવરાજસિંહ જાડેજાના પત્ની બિંદિયાબા દ્વારા ટ્વિટર મારફત જાહેર કરવામાં આવ્યું કે યુવરાજસિંહને પગલે તબિયતરી હોવાથી દસ દિવસની માંગ પોલીસચંદ્ર પાસે કરવામાં આવી છે. જેનો એક પત્ર ઉપર મૂકવામાં આવ્યો અને એસોજીને મેલ કર્યા હોવાનો પણ એક ઈમેજ મુકવામાં આવી હતી. આથી યુવરાજસિંહ 19 તારીખના રોજ નથી જવાના તે સ્પષ્ટ થઈ ગયું હતું અને અટકડો શાંત થઈ ગઈ હતી.