ગુજરાત

gujarat

ETV Bharat / state

મનસુખભાઇ માંડવીયા ગાંધી મૂલ્યોની પદયાત્રા બાદ માર્ગ અને ગામડાઓની મુલાકાત લેશે - મુલાકાત

ભાવનગરઃ કેન્દ્રીય કેબિનેટ પ્રધાન મનસુખભાઇ માંડવીયાએ 2019માં ઉજવાયેલી ગાંધી મૂલ્યોની પદયાત્રામાં ભાગ લીધો હતો. ગુરૂવારે તેઓ બે દિવસ માટે ગાંધી મૂલ્યોની પદયાત્રાના માર્ગ તેમજ ગામડાઓની મુલાકાત લેવાના છે. આ બે દિવસની પદ યાત્રા દરમિયાન તેઓ પદયાત્રાના રૂટ પર જઈને મુલાકાત કરી સ્થળ નિરીક્ષણ કરશે. મનસુખભાઇએ જણાવ્યું હતું કે, પદયાત્રાનો ફાયદો શિક્ષણ ક્ષેત્રે થયો છે.

cabinet minister mansukh mandviya will visit gandhi values march in bhavnagar
મનસુખભાઇ માંડવીયા ગાંધી મૂલ્યોની પદયાત્રા બાદ માર્ગ અને ગામડાઓની મુલાકાત લેશે

By

Published : Jan 15, 2020, 11:40 PM IST

દેશમાં 16 જાન્યુઆરી 2019ના રોજ પ્રથમ ગાંધી મૂલ્યોની પદયાત્રાનો પ્રારંભ કરાયો હતો. ગત વર્ષે સમગ્ર દેશે ગાંધીજીની 150મી જન્મજયંતી ઉજવી હતી. 150 કિલોમીટરની યાત્રા કર્યા બાદ ગાંધી મૂલ્યો લોકોમાં પ્રસ્થાપિત થયા છે કે કેમ, તે જાણવા મનસુખભાઇ ગુરૂવાર 16 જાન્યુઆરી 2020થી ફરી, એ જ માર્ગ પર બે દિવસ દરેક ગામની મુલાકાત લેશે.

મનસુખભાઇ માંડવીયા ગાંધી મૂલ્યોની પદયાત્રા બાદ માર્ગ અને ગામડાઓની મુલાકાત લેશે

ગાંધીજી આજના યુવાનમાં એક રાષ્ટ્રપિતા અને આંદોલનકારી તરીકે પ્રાથમિક રીતે વસેલા છે, ત્યારે ગાંધી મૂલ્યોની યાત્રા બાદ હવે ગાંધીજીની સાચી ઓળખ સામે આવી હોવાનું મનસુખભાઇએ જણાવ્યું છે. ગાંધીજીના બુનિયાદી શિક્ષણને બહોળો પ્રતિસાદ મળ્યો છે. ગાંધીજીએ પ્રથમ બુનિયાદી શિક્ષણનો પાયો નાખ્યો હતો. અંતે સણોસરા લોકભારતીમાં આજે પ્રવેશ ગાંધી મૂલ્યોની પદયાત્રા બાદ મળતું નથી કારણ કે, લોકોમાં સમજ આવી છે.

ગાંધી મૂલ્યોની યાત્રાના પ્રારંભ કર્યા બાદ દેશમાં અનેક યાત્રાઓ થઈ. તેમજ ગુજરાતમાં બુનિયાદી શિક્ષણ આપતી સંસ્થાઓને 36 કરોડ જેટલી સહાય તેમના ઉત્થાન માટે આપવામાં આવ્યા છે, તેમજ તેમનું નવીનીકરણ કરાયું છે. 16 જાન્યુઆરીએ જ મણાર ગામથી મનસુખભાઇ મુલાકાત લેશે. 17 જાન્યુઆરીએ દરેક ગામની મુલાકાત બાદ લોકભારતી સણોસરામાં પૂર્ણાહુતી કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details