- ભાવનગર મનપા 3 કરોડના 50 ટેમ્પલબેલ ખરીદીને કોન્ટ્રાક્ટરને આપશે
- નવા ટેમ્પલ બેલ ખરીદી કોન્ટ્રાક્ટરને આપશે માથે 37 હજાર મનપા
- ઘર બાળીને તીર્થ કરવા જેવો નિર્ણય કર્યોઃ વિપક્ષે કર્યો આક્ષેપ
ભાવનગરઃ ભાવનગરને ડસ્ટબીન ફ્રી સીટી જાહેર કરીને ડસ્ટબીન ઉઠાવી લેવાયા અને બાદમાં ઘરે-ઘરે કચરો ઉઠાવવા ટેમ્પલ બેલ પાછળ કરોડોનો ધુમાડો શરૂ કરવામાં આવ્યો છતાં રસ્તા પર કચરાના ઢગ જતા નથી. હવે મનપાએ ઘર બાળીને તીર્થ કરવાનો નિર્ણય કર્યો છે. 50 નવા ટેમ્પલ બેલ ખરીદી કોન્ટ્રાક્ટરને આપશે અને સાથે મહિને 37 હજાર પણ ત્યારે વિપક્ષે વાર કર્યો છે તો શાસક ફાયદાની વાત કરી રહ્યા છે.
ભાવનગર મનપા નવા ટેમ્પલ બેલ ખરીદી માથે 37 હજાર આપશે ભાવનગરમા ટેમ્પલ બેલ કેટલા અને શું કોન્ટ્રાક્ટભાવનગર મહાનગરપાલિકામાં સત્તામાં બેઠેલા ભાજપના સત્તાધીશોએ શહેરને ડસ્ટબીન ફ્રી સીટી જાહેર કરીને શહેરમાંથી કચરપેટીઓ ઉઠાવી લીધી છે. કચરાના નિકાલ માત્ર શહેરમાં ઘરે-ઘરે કચરો ઉપાડવા ટેમ્પલ બેલનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. એક ટેમ્પલ બેલને મહિને 50 હજાર ચૂકવાય છે. તેવા 13 વોર્ડમાં 109 ટેમ્પલ બેલ ચાલે છે જેમાં 100 કોન્ટ્રાકટરના છે. જેને એક ટેમ્પલ બેલના મહિને 50 હજાર આપવામાં આવે છે આમ વર્ષે 39 કરોડનો ખર્ચો માત્ર ટેમ્પલ બેલ પાછળ થાય છે.નવા ટેમ્પલ બેલ ખરીદી કોન્ટ્રાક્ટરને આપશે અને પૈસા પણ તેનો વિરોધભાવનગર મહાનગરપાલિકાએ હાલમાં 3 કરોડના ખર્ચે નવા 50 ટેમ્પલ બેલ ખરીદ્યા છે. જેમાં 25 મહાનગરપાલિકાના ગેરેજ વિભાગમાં આવી પણ ગયા છે. ત્યારે મનપા હવે આ પોતાના ખર્ચે લીધેલા ટેમ્પલ બેલ કોન્ટ્રાક્ટરને આપશે અને એક ટેમ્પલ બેલ દીઠ 37 હજાર પણ ચુકવશે. જે ડ્રાઇવર અને એક કર્મચારી અને ડીઝલ તેમજ મેઈટનન્સના હશે. હવે 50 હજારમાં કોન્ટ્રાક્ટરનું ટેમ્પલ બેલ અને 37 હજારમાં મનપનું ટેમ્પલ બેલ છે ને ઘર બાળીને તીર્થ કરવા જેવું. સમજવા જેવું એ છે કે નવા વાહનમાં 5 વર્ષ મેઇન્ટનન્સ આવે નહિ તો રહ્યા ડ્રાઇવ,ડીઝલ અને કર્મચારીને ચુકવવાની કિંમત શુ તે 37 હજાર હોઈ શકે. શાસકનો જવાબ તો વિપક્ષનો પ્રહાર
ભાવનગર મહાનગરપાલિકાના મેયરે તો જવાબ આપ્યો છે કે મનપા પોતે ટેમ્પલબેલ ખરીદીને આપે તો ફાયદો 13 હજારનો થશે. પણ મેયરને ખ્યાલ નથી કે લાખો રૂપિયાના વાહન 5 વર્ષે ભંગાર બની જશે અને પૈસા પણ વેડફાશે. તેની ચિંતા નથી ત્યારે વિપક્ષે પ્રહાર કર્યો છે કે, હાલમાં 100 ટેમ્પલ બેલ કોન્ટ્રાક્ટરના છે અને તેમાં બે કોન્ટ્રાકટર છે જેમાં પણ એકને 55 હજાર તો એકને 44 હજાર મહિને એક મહિનાના આપવામાં આવે છે ત્યારે હવે પોતે ટેમ્પલબેલ ખરીદીને ઘર બાળીને તીર્થ કરવા જેવા નિર્ણય શાસકો કરી રહ્યા છે. ટેમ્પલબેલ નોહતા ત્યારે પણ જાહેરમાં કચરાના ઢગ હતા અને આજે છે તોય રહેશે અને વધારે ટેમ્પલબેલ લાવે તો પણ રહેશે કારણ કે શાસકો પાસે વહીવટ કરવાની આવડત નથી.