ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર મનપાએ કોરોનાને પગલે ટેક્સમાં આપી રાહત, વ્યાજમાફી પણ અપાઈ - Bhavnagar Municiple News

ભાવનગર મનપાએ સરકાર સાથે રાહત આપવાનું નક્કી કર્યું છે, ત્યારે મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જાહેરાત કરીને 10 થી 20 ટકા રિબેટ યોજના અમલી કરી છે તો વ્યાજ માફી પણ આપવામાં આવી છે.

Etv Bharat, Gujarati News, Bhavnagar Municipal Corporation, CoronaVirus
ભાવનગર મનપાએ કોરોનાને પગલે ટેક્સમાં આપી રાહત

By

Published : Mar 31, 2020, 3:13 PM IST

ભાવનગર: શહેર મનપાએ સરકાર સાથે રાહત આપવાનું નક્કી કર્યું છે, ત્યારે મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જાહેરાત કરીને 10 થી 20 ટકા રિબેટ યોજના અમલી કરી છે તો વ્યાજ માફી પણ આપવામાં આવી છે. જેની સમય મર્યાદા પણ 30 જૂન સુધી લંબાવી દેવામાં આવી છે. લોકોને લાભ લેવા ચેરમેને વિનંતી કરી છે, તો સફાઈ કામદાર અને આરોગ્ય કર્મચારીને એક હજાર બોનસની પણ જાહેરાત કરી હતી.

કોરોનાની મહામારી વચ્ચે સરકારે અનેક રાહતો જાહેર કરી છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકા પણ કરદાતા માટે મેદાનમાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ દ્વારા ટેક્સમાં રાહત આપવામાં આવી છે. ભાવનગરના કરદાતા માટે ટેક્સની રાહત અને આરોગ્ય સફાઈ કામદારને વધારાનું મહેનતાણું કોરોના વાઇરસની મહામારીમાં કામ બદલ આપવાની જાહેરાત કરી છે.

ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, સાંસદ અને ધારાસભ્ય સાથે વાર્તાલાપ બાદ ભાવનગરની પ્રજાને ઘર વેરામાં રાહત આપવા નિર્ણય કરાયો છે. ઘર વેરામાં 10 ટકાથી લઈને 20 ટકા સુધી રિબેટની રાહત આપવામાં આવી છે. આ સાથે ટેક્સના સમય પણ વધારીને 30 જૂન સુધી લંબાવી દેવામાં આવ્યો છે. જુના અને ચાલુ બાકીમાં વ્યાજ માફી પણ આપવામાં આવી છે. જ્યારે નવા ભળેલા ગામોને પણ રિબેટનો લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત વ્યાજ માફીની પણ નવા ભળેલા ગામોને આપવામાં આવી છે.

ચેરેમેન વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં સફાઈ કામદાર અને આરોગ્ય કર્મચારી પોતાના જીવન જોખમે કામ કરી રહ્યા છે, જે માટે તેમને એક હજારનું બોનસ આપવામાં આવશે. સરકાર સાથે મનપાએ પણ આર્થિક ટેકો કરવા આગળ આવીને પોતાની ભૂમિકા ભજવી છે.

ABOUT THE AUTHOR

...view details