ગુજરાત

gujarat

ETV Bharat / state

ડુંગળીએ સફરજનની સાઇડ કાપી, ગૃહિણીનું બજેટ ખોરવાયું - latest news in Bhavnagar

ભાવનગરઃ ભાવનગર પુના પછીનું બીજા નંબરનું ડુંગળીના ઉત્પાદનમાં પીઠું હોવા છતા એક કિલોના ભાવ 80થી 100 રૂપિયા છે. જ્યારે કાશ્મીરથી આવતા સફરજન 50 રૂપિયે કિલો વહેચાઈ રહ્યા છે. ત્યારે ગૃહિણીઓને સફરજનનું શાક સસ્તું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આગામી દિવસોમાં ડુંગળીનું વાવેતર વધે છે. તેના માટે સરકારની સહાય ખેડૂત માટે જરૂરી બની છે.

bhavnaga
ભાવનગરમાં ડુંગળીનું પીઠું છતા ડુંગળી કરતા સફરજન સસ્તા, ગૃહિણીનું બજેટ ખોરવાયું

By

Published : Nov 27, 2019, 11:43 AM IST

ભાવનગર જિલ્લો દેશમાં પુના પછીનું ડુંગળી પકવવામાં બીજા નંબરે છે. છતાં હાલ ભાવનગર શહેરમાં ડુંગળી કરતા સફરજન સસ્તા છે. ગૃહિણીનું બજેટ કુદરતના વધુ પડતા વરસાદે બગડ્યું છે. ચોમાસાના અંતમાં પડેલા વરસાદના લીધે ડુંગળીનું બિયારણ બગડતા આજે ડુંગળીના બદલે સફરજનનું શાક બનાવવું ગૃહિણી માટે સસ્તું પડે તેમ છે, કારણ કે ડુંગળીના ભાવ દઝાડે તેટલા ઊંચા પહોંચ્યા છે.

ભાવનગરમાં ડુંગળીનું પીઠું છતા ડુંગળી કરતા સફરજન સસ્તા, ગૃહિણીનું બજેટ ખોરવાયું

પરંતુ આ વર્ષે દિવાળી સુધી વાવાઝોડાને પગલે આવેલા વરસાદે ખેડૂતના ડુંગળીના બિયારણ બાળી દેતા ડુંગળીનું વાવેતર જિલ્લામાં 50 ટકા થયું છે, પણ ડુંગળીનો પાક નબળો રહેતા ડુંગળી બજારમાં સફરજન કરતા મોંઘી બની ગઈ છે. ડુંગળીના વેપારીઓ પણ માને છે કે, કુદરતના ચાબખે ખેડૂત લાચાર બની ગયો અને આજે ગરીબોની કસ્તુરીએ આજે બધા લોકોને ગરીબ બનાવી દીધા છે. એટલે કે તેની કિંમત વધી જવા પામી છે.

ભાવનગર જિલ્લામાં મહુવા અને તળાજા ડુંગળીનું પીઠું માનવામાં આવે છે. વાયુ અને મહા જેવા વાવાઝોડાને પગલે દિવાળી સુધી વરસેલા વરસાદથી 60 ટકા ડુંગળીના બિયારણ આશરે નિષ્ફળ નિવડ્યા છે. એક તરફ કાશ્મીરથી આવતા શક્તિવર્ધક સફરજન સસ્તા છે બજારમાં 40થી 80 રૂપિયા સુધીમાં સારામાં સારા સફરજન મળી રહે છે. સફરજનના વેપારીઓ પણ માને છે કે, સફરજન સસ્તા હોવાથી મહિલાઓ ખરીદી રહી છે કારણ કે ડુંગળીએ ગૃહિણીનું બજેટ વિખેરી નાખ્યું છે. હજુ એક મહીના સુધી સફરજન સસ્તા રહેશે એટલે ગૃહિણી ધારે તો સફરજનનું શાક બનાવે તો પરવડે તેમ છે. ડુંગળીનું વાવેતર રવિ પાકમાં વધારવા માટે ખેડૂતને સરકારે સહાય આપવી જોઈએ જેથી રવિ પાકમાં ડુંગળીનું ઉત્પાદન વધે અને ગરીબોની કસ્તુરી સસ્તી બને.

ABOUT THE AUTHOR

...view details