- ટોલટેક્સમાંથી મુક્તિ આપવા માટે વાહનચાલકોએ કરી રજૂઆત
- વાહન ચાલકોએ કરી વકીલ સાથે ચર્ચા
- ટોલટેક્સમાંથી મુક્તિ માટે ધારાસભ્ય, સાંસદ તેમજ મુખ્યપ્રધાન સુધી કરાશે રજૂઆત
ભાવનગર : સોમનાથ હાઈવે માટે કોબડી ખાતે ટોલનાકા પર ટોલ ટેક્સની થોડા દિવસો પહેલા જ શરૂઆત કરવામાં આવતા ગ્રામજનો તેમજ વાહન લોકોમાં રોષની લાગણી ફેલાઇ જતા વિરોધ અને દેખાવો કરી કલેકટરને ટોલ ટેક્સમાંથી મુક્તિ માટે આવેદન પાઠવવા છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી નહીં થતા કોબડી ખાતે વાહનચાલકો તેમજ રીક્ષા ચાલક એસોસિએશન દ્વારા એકત્રિત થઈ આગળની રણનીતિ માટે મનોમંથન કરવામાં આવ્યું હતું.
ટોલટેક્સમાંથી મુક્તિ આપવા માટે રજૂઆત કરાઇ સરકાર ટોલટેક્સ બાબતે કોઈ નિર્ણય નહીં લે તો ન્યાયાલયનો સહારો લેવાશે
ભાવનગર સોમનાથ હાઈવે માટે કોબડી ખાતે ટોલનાકા પર ટોલ ટેક્સની થોડા દિવસો પહેલા જ શરૂઆત કરવામાં આવતા ગ્રામજનો તેમજ વાહન લોકોમાં રોષની લાગણી ફેલાઇ જતા વિરોધ અને દેખાવો કરી કલેક્ટરને ટોલટેક્સમાંથી મુક્તિ માટે આવેદન પાઠવવા છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી નહીં થતા કોબડી ખાતે વાહનચાલકો તેમજ રીક્ષા ચાલક એસોસિએશન દ્વારા એકત્રિત થઈ આગળની રણનીતિ માટે મનોમંથન કરવામાં આવ્યું હતું.
રીક્ષા ચાલક એસોસિએશન દ્વારા એકત્રિત થઈ આગળની રણનીતિ માટે મનોમંથન કરવામાં આવ્યું