ગુજરાત

gujarat

અમદાવાદ સુપરફાસ્ટ ઇન્ટરસિટીની પુનઃ સેવા મળતા ભાવેણાવાસીઓ આનંદમાં

By

Published : Oct 22, 2022, 8:50 PM IST

ભાવનગરવાસીઓ અંદાજે 2014 થી ભાવનગર ધંધુકા અમદાવાદ ઇન્ટરસિટી (Ahmedabad Superfast Intercity) બંધ થયા બાદ ખાનગી વાહનોમાં તગડું ભાડુ ખર્ચીને અમદાવાદ તેમજ યાત્રાઓ પર જવા માટે જતા હતા. રેલવેએ ચૂંટણી ટાણે ઇન્ટરસિટી શરૂ કરીને ગરીબોને મોટી રાહત જરૂર આપી છે. આ સાથે વ્યાપારીઓ માટે માલસામાન લાવવા અને ખરીદી માટેનો માર્ગ મોકળો (Robbery of Private Vehicle Drivers) કર્યો છે.

અમદાવાદ સુપરફાસ્ટ ઇન્ટરસિટીની પુનઃ સેવા મળતા ભાવેણાવાસીઓ આનંદમાં
અમદાવાદ સુપરફાસ્ટ ઇન્ટરસિટીની પુનઃ સેવા મળતા ભાવેણાવાસીઓ આનંદમાં

ભાવનગરઅમદાવાદ સુપરફાસ્ટ ઇન્ટરસિટી(Ahmedabad Superfast Intercity) વર્ષો બાદ ભાવનગરને પુનઃ સેવા મળતા ભાવેણાવાસીઓમાં આનંદ છવાયો છે. ટ્રેનને લીલીઝંડી શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી અને સાંસદ ભારતીબેન શિયાળે આપી હતી. આ ટ્રેન હરિદ્વાર ટ્રેનની કનેક્ટિવિટીમાં હોવાથી બમણો લાભ મળશે.

પ્રથમ ટ્રેન ધનતેરસ નિમિત્તે ભાવનગર રેલ્વે સ્ટેશન ખાતેથી ઉપડી સિહોર, બોટાદ, ઘંધુકા, ધોળકા, સરખેજ, વસ્ત્રાપુર, ગાંધીગ્રામ થઈ સાબરમતી રેલ્વે સ્ટેશન રવાના કરવામાં આવી હતી.

ગાંધીગ્રામ થઈ સાબરમતી રેલ્વે સ્ટેશન રવાનાવર્ષો બાદ ભાવનગરને ટૂંકા માર્ગે મળી ઇન્ટરસિટી ભાવનગર, સાબરમતી ભાવનગર, ડેઇલી સુપરફાસ્ટ ઇન્ટરસિટી ટ્રેન (Daily Superfast Intercity Train) દોડાવવાની શરૂઆત થઈ ગઈ છે. પ્રથમ ટ્રેન ધનતેરસ નિમિત્તે ભાવનગર રેલ્વે સ્ટેશન (Bhavnagar Railway Station) ખાતેથી ઉપડી સિહોર, બોટાદ, ઘંધુકા, ધોળકા, સરખેજ, વસ્ત્રાપુર, ગાંધીગ્રામ થઈ સાબરમતી રેલ્વે સ્ટેશન રવાના કરવામાં આવી હતી. ભાવનગર ટર્મિનસથી સવારે 6:00 વાગ્યે ઉપડશે. તે જ દિવસે સવારે 10:30 કલાકે સાબરમતી સ્ટેશન ખાતે પહોંચશે અને સાંજે 4:00 કલાકે સાબરમતી સ્ટેશન ખાતેથી ઉપડી તે જ દિવસે રાત્રે 08:30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોચશે. આમ ભાવનગર હવે ફરી રેલવે મારફત અમદાવાદથી જોડાણ પામ્યું છે.

લાંબા અંતરની ટ્રેનો મળવાની પૂરેપૂરી એ સંભાવનાઓઆ ઇન્ટરસિટી ટ્રેન હરિદ્વારની ટ્રેન જાય છે. એનું કનેક્શન મળે એ રીતની રાખવામાં આવી છે. એટલે જેથી કરીને જેમને હરિદ્વાર જવું હશે એમને અમદાવાદથી કનેક્શન મળી શકશે. આપણને સુવિધા મળે એ માટેના તમામ પ્રયત્નો અત્યારે ચાલુ છે પણ અત્યારે કોઈ જાતની અગવડતા ભાવનગર બોટાદ અને અમદાવાદના લોકોને ન પડે એ શરૂ થઈ છે અમદાવાદથી હરિદ્વારની ટ્રેન (Ahmedabad to Haridwar train) છે અને એનું કનેક્શન આ ટ્રેન સાથે જોડી દેવામાં આવ્યું છે. આ ટ્રેનનું જે શિડયુલ બન્યું છે.

અમદાવાદથી ઉત્તર ભારતમાં અને હરિદ્વાર જવા અમદાવાદથી જે હરિદ્વારની ટ્રેન જાય છે. એ ટ્રેન પહેલા ત્યાં પહોંચવાની છે. જેથી કરીને ઉત્તર ભારતમાં જવું અથવા તો હરિદ્વાર જવું હોય તો એ પણ કનેક્શન મળી શકે. કનેક્ટિવિટીની અત્યારે એ સુવિધાઓ કરવામાં આવી છે પણ મારે આપને કહેવું છે કે એ બહુ થોડા સમયમાં જ્યારે આ બ્રોડગેજ થયું છે, ત્યારે ભાવનગરને લાંબા અંતરની ટ્રેનો મળવાની પૂરેપૂરી એ સંભાવનાઓ છે.

ગેજ કન્ઝર્વેશનમાં હતો રૂટ બંધ તો હવે ભાડું શું?બોટાદ અને અમદાવાદ વચ્ચે ગેઝ કન્ઝર્વેશન (Gauge conservation between Botad and Ahmedabad) કરવામાં આવ્યું છે. જેને 7થી 8 વર્ષ વીતી ગયા બાદ હવે ફરી બોટાદ ગાંધીગ્રામ ગેજ બ્રોડગેજ (Botad Gandhigram Gauge Broad Gauge) થઈ જતા લોકોને તે જ રૂટ પર ઇન્ટરસિટીની સેવા મળી છે. લોકોને આવવા જવા માટે સસ્તું અને સરળ માધ્યમ બની રહેશે. કારણ કે સવારે જઈને રાત્રે આરામથી ખરીદી કરી લોકો પરત ફરી શકે છે. ભાડું માત્ર 130 રૂપિયા રાખવામાં આવ્યું છે. જેથી ધનતેરસે લોકોને ધનનો લાભ સરકારે કર્યો છે. ત્યારે હવે આગામી દિવસોમાં લાંબા અંતરની ટ્રેનો માટેના દ્વાર જરૂર ખુલી ગયા છે.

ABOUT THE AUTHOR

...view details