ભાવનગરઃભાવનગર શહેરમાં સવારે AAP નેતા યુવરાજસિંહ જાડેજા ડમીકાંડમાં પૂછપરછમાં બોલાવ્યા પહેલા નેતાઓના નામ જાહેર કરી પોલીસની પૂછપરછમાં ગયા હતા.પરંતુ રાત સુધી નહીં આવતા અંતમાં IGએ ઓત્રકાર પરિષદ યોજી આમ આદમી પાર્ટી (AAP) નેતા યુવરાજસિંહ જાડેજા સામે એક કરોડ લીધાની ફરિયાદ નોંધાયાની જાહેરાત કરી હતી. આ ઇશારામાં અટકાયત થઈ હોવાનું જણાવ્યું હતું. યુવરાજે પી.કે. દવે નામના વ્યક્તિ પાસેથી 45 લાખ, પ્રકાશ બારૈયા પાસેથી 55 એમ કુલ મળીને 1 કરોડ રૂપિયાની ખંડણી વસુલ કર્યાનો આરોપ લગાવાયો છે.
આ પણ વાંચોઃ Bharuch Crime : મામાએ સંબંધોના તાર તાર પીંખી નાખ્યા, માત્ર 14 વર્ષીય ભાણી પર
પોલીસે આપી વિગતઃભાવનગર શહેરમાં ડમીકાંડ પગલે એસઆઇટીની ટીમ દ્વારા પોલીસ કચેરીએ AAP નેતા યુવરાજસિંહ જાડેજાને પૂછપરછ માટે બોલાવ્યા બાદ તેઓ રાત સુધી બહાર આવ્યા જ ન હોતા. અંતમાં ભાવનગરના આઈજી ગૌતમ પરમારે AAP નેતા યુવરાજસિંહ જાડેજા અને તેના અન્ય માણસો સામે ડમીકાંડમાં પૈસા લીધા હોવાને પગલે પોલીસ ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી હોવાની જાહેરાત કરી હતી. ટૂંક સમયમાં દરેકને ધરપકડ કરવામાં આવશે તેમજ જણાવ્યું હતું.
અધિકારીએ કરી સ્પષ્ટતાઃભાવનગરના આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, એસઆઈટીની તપાસમાં બન્ને આરોપીઓને રજૂ કરાયા છે. આરોપી અંગે પુરાવા મેળવવામાં આવ્યા છે. હકીકતને સમર્થન કરતા નિવેદન લેવાયા છે. આ નિવેદન બાદ AAP નેતા યુવરાજસિંહને સમન્સ આપીને સ્પષ્ટતા પૂછવા બોલાવાય હતા. જેમાં તે ગોળ ગોળ જવાબ આપે છે. હકીકતને આધારે યુવરાજસિંહ જાડેજા, શિવુભા, ધનશ્યામ લાંધવા, બિપિન ત્રિવેદી, રાજુ સામે ભાવનગર જિલ્લાના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસી અંતર્ગત ગુનો દાખલ કરાયો છે. સીસીટીવીના પુરાવાઓ, ગુપ્ત ચેટના પુરાવાનું વેરિફિકેશન બાકી છે. આ તમામ ધરપકડ કરીને રીમાન્ડ અંગે માગ કરાશે. હાલમાં આ અંગે ફરિયાદ લઈ લેવાઈ છે.
પુરવા અંગે રીપોર્ટઃભાવનગર શહેરમાં પોલીસ દ્વારા AAP નેતા યુવરાજસિંહ જાડેજાને સવારે પૂછપરછમાં બોલાવ્યા બાદ તેઓ બહાર નીકળ્યા નથી. આ વાતની અગાઉ ચાલેલી ચર્ચા બાદ સત્યનો સિક્કો ચર્ચા પર લાગ્યો છે. યુવરાજસિંહ જાડેજા સામે પોલીસે ફરિયાદ નોંધાવી હોવાનું ખુદ આઈજી ગૌતમ પરમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. જો કે ફરિયાદી ખુદ પોલીસ બની છે. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ડમીકાંડમાં એક કરોડ જેવી માતબર રકમ લીધી હોવાનું જણાવ્યું છે. જેના મળેલા સાંયોગીક પુરાવાને આધારે ફરિયાદ નોંધીને આગળ ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે તેમ IG ગૌતમ પરમારે જણાવ્યું હતું.