- ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા પત્રકારો માટે રસીકરણ કેમ્પનું કરાયું આયોજન
- પત્રકારોએ કોરોનાની રસી મુકાવી
- રસી માટે વિવિધ પત્રકાર સંગઠનોએ ચલાવ્યું હતું અભિયાન
ભરૂચઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંંટણી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યની સાથે સાથે ભરૂચ જિલ્લામાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોના કાળમાં ચોથી જાગીરના સ્તંભ એવા પત્રકારો તેમની ફરજ અદા કરી રહ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આજે ગુરુવારે ભરૂચના રોટરી હોલ ખાતે જિલ્લાના પત્રકારો માટે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં સિનિયર સિટીઝન સહિત 1.5 લાખ લોકોએ કોરોના વેક્સિન લીધી