ગુજરાત

gujarat

ETV Bharat / state

"મહા" વાવાઝોડાની અસર, ભરૂચના ભાડભૂતના કિનારે 500 બોટ લંગારાઇ

ભરૂચઃ દરિયાઇ પટ્ટીમાં સંભવિત ચક્રવાતના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. ભરુચના ભાડભૂત ખાતે 500 જેટલી બોટને લાંગરી દેવામાં આવી છે.

By

Published : Nov 4, 2019, 1:49 PM IST

"મહા" વાવાઝોડાની અસર-ભરૂચના ભાડભૂતના કિનારે 500 બોટ લાંગરી દેવાઈ

નદી અને સમુદ્રના સંગમ સ્થળ એવા ભાડભૂત ગામના કિનારે માછીમારોએ 500થી વધુ બોટ લંગારી દીધી છે. "મહા" વાવાઝોડું તારીખ 7 નવેમ્બરે માંગરોળથી પોરબંદર વચ્ચે દરિયામાં ટકરાઈ શકે છે. વાવાઝોડાની અસરના પગલે દરેક પોર્ટને એલર્ટ કરાયા છે ત્યારે ભરૂચના દહેજ બંદરે 2 નંબરનું સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું છે.

"મહા" વાવાઝોડાની અસર-ભરૂચના ભાડભૂતના કિનારે 500 બોટ લાંગરી દેવાઈ

ABOUT THE AUTHOR

...view details